અંજાર તાલુકાના હિરાપર અને રાપર તાલુકામાં પણ રણતીડના ઝુંડ દેખાયા
અંજાર, તા.ર૦
ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રણતીડના ઝુંડ જોવા મળ્યા બાદ હવે આજે અંજાર તાલુકાના દૂાધઈ વિસ્તારના હિરાપર ગામની સીમ અને રાપર તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ તીડના ઝુંડ દેખાયા હોવાની ફરિયાદો ખેડૂતોમાંથી બહાર આવી છે. આ ફરિયાદોને ખેતીવાડી વિભાગના અિધકારીઓ દ્વારા પણ સમાર્થન આપવામાં આવ્યું છે. જો કે હજૂ સુાધી કોઈ અિધકારીઓએ ઘટનાસૃથળની મુલાકાત લીધી નાથી. કચ્છમાં ખરીફ સિઝનના શરૃઆતના સમય પહેલા જ તીડના આક્રમણને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ તીડના આક્રમણ સામે લડત આપવા માટે હવે તંત્રએ પણ તૈયારી શરૃ કરી દીધી છે.