વનખાતાની નિષ્ક્રીયતાના પાપે ભચાઉ તાલુકાના જંગી ગામે નીલગાયનો શિકાર
- રાત પડેને વિધર્મીઓ દ્વારા મિજબાની માટે શિકાર થતો હોવાની ફરીયાદ છતાં ંતંત્ર નિંભર
- બાઈક પર આવેલા બે શિકારીઓએ નીલગાયને ગોળી મારી ઘાયલ કર્યા બાદ ચાકુથી ગળું કાપ્યું
- માલધારીઓએ વનખાતા અને પોલીસને જાણ કરતા છતાં મોડીરાત સુધી કોઈ ન ડોકાયા
ભુજ, રવિવાર
ભચાઉ તાલુકાના જંગી અને વાંઢીયાના ફોરેસ્ટ પ્લોટમાં આજે કુખ્યાત શિકારી ટોળકીએ વધુ એકવાર વનખાતાને પડકારીને બિનૃધાસ્ત રીતે નીલગાયનો શિકાર કર્યો હતો. જોકે, નજીકમાં ઘેટા-બકરા ચરાવતા માલાધારીઓ ગોળીના અવાજાથી દોડી આવતા વિાધર્મીઓને શિકારને લીધા વિના જ ભાગવું પડયું હતું.
આ અંગે જંગીથી વિભા રબારી તાથા સોમા રબારીએ જણાવ્યું હતું કે, અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. વિાધર્મીઓ મિજબાની માટે સુર્ય આાથમેને નીલગાયનો શિકાર કરવા નીકળી પડે છે. અગાઉ આ મુદે વનખાતાનું અનેકવાર ધ્યાન દોરાયું છે છતાં અિધકારીઓ કે કર્મચારીઓ સક્રીય કાર્યવાહી કરતા ન હોવાથી આ પંથકમાં શિકારી ટોળકીને મોકળું મેદાન મળી ગયું છે.ખુલ્લેઆમ ગેરકાયદે બંદુકાથી શિકાર કરીને નીલગાયને હલાલ કરાય છે. આજે સાંજે ૬ કલાકે આવા જ દશ્યો સીમમાં સર્જાયા હતા. જેમાં બે બાઈકસવાર શિકારીઓએ નીલગાયનો પીછો કરીને પ્રાથમ તેને ગોળીએ વિંધી ધાયલ કરી હતી. ફસડાઈને પડી ગયેલી નીલગાયને બાદમાં બંને જણે ચાકુાથી ગળું વેંતરીને હલાલ કરી હતી. ગોળીના અવાજાથી નજીક ઘેટા-બકરા ચરાવતા માલાધારીઓ સૃથળ પર દોડી આવતા શિકારીઓએ તેઓને જાનાથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જેાથી નીલગાયનો મૃતદેહ પડી રહ્યો હતો. આ ઘટનાની ૬.૩૦ કલાકે ડીએફઓ તાથા વનકર્મચારીઓ તાથા સામખિયાળી પોલીસને જાણ કરવા છતાં રાત્રે ૯ કલાક સુાધી કોઈ ડોકાયા ન હોવાનું માલાધારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું. મૃતદેહ પાસે માલાધારીઓ મોડી રાત સુાધી ઉભા રહ્યા હતા પરંતુ સમયસર કોઈ ન આવતા સરકારી અિધકારીઓની બેદરકારી સામે રોષ ફેલાયો હતોે. માલાધારીઓએ જણાવ્યું હતુંકે, આ વિસ્તારમાં રાત પડેને રોજ આવા બનાવ બને છે તેમછતાં વનખાતું કામ ન કરીને સક્રીય શિકારી ટોળકીને મોકળું મેદાન આપી રાખ્યું છે. જેના કારણે રક્ષિત પ્રાણીનો ખો નીકળી રહ્યો છે.