Get The App

કચ્છમાં લમ્પીએ વધુ ૫૪ ગાયોનો ભોગ લીધો, નવા ૩૦૧ કેસ નોંધાયા

- સરકાર માઈ-બાપ, અબોલ પશુઓ કરે પોકાર... જો જીવદયા વહે તારા રગ-રગમાં તો જન-જનમાં તેનો અહેસાસ કરાવ

Updated: Aug 2nd, 2022

GS TEAM

Google News
Google News
કચ્છમાં લમ્પીએ વધુ ૫૪ ગાયોનો ભોગ લીધો, નવા ૩૦૧ કેસ નોંધાયા 1 - image

ભુજ, સોમવાર

કચ્છ જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝ વાયરલે આજે વધુ ૫૪ ગાયોનો ભોગ લીધો હતો. જિલ્લાના અબડાસા, નખત્રાણા, માંડવી અને લખપત તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં ગાયોના મોત નિપજયા હતા. આજે ૧ લી ઓગસ્ટે કચ્છમાં ૫૪ ગાયોના મોત નિપજયા હતા. જેમાં સૌથી વધુ ૨૮ ગાંધીધામ તાલુકામાં મોત થયા છે. જયારે ભુજ તાલુકામાં ૧૧ના મોત થયા છે. ઉપરાંત અંજાર તાલુકામાં ૭, ભચાઉ તાલુકામાં ૧, મુંદરા તાલુકામાં ૫ અને રાપર તાલુકામાં બે ના મોત થયાના રેકર્ડ પર નોંધાયુ છે. જો કે, આ આંકડો વધુ હોઈ શકે અને તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવાતા પણ હોઈ શકે. 

આજ રોજ જિલ્લાના પશુપાલન વિભાગ દ્રારા ૧૧૦ ગામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આજે નવા દસ ગામોમાં લમ્પી વાયરસના કેસો નોંધાયા હતા. આજે કચ્છમાં નવા ૩૦૧ કેસો લમ્પીના નોંધાયા હતા. જિલ્લામાં એકટી વ કેસોની સંખ્યા ૩૪૬૭  છે. આજે ૧૨૫૪ પશુઓની સારવાર કરાઈ છે. ૨૦ હજારના લક્ષ્યાંક સામે આજે ૨૨૭૧૫ પશુઓનો રસીકર ણ કરાયુ છે. 

કચ્છમાં લંપી વાયરસને લઈને સરકારી આંકડાઓમાં ગોલમાલ થતી હોવાના આક્ષેપ છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગાયોના મોતની સંખ્યા વધુ છે જો કે, રેકર્ડ પર સાચો આંકડો બતાવાતો નાથી. બીજીતરફ સીમાડામાં જોવા મળતા મૃતદેહોના દ્રશ્યો ઘણુ કહી જાય છે. કચ્છમાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. માલાધારીઓ પશુઓને બચાવવા માથામણ કરી રહ્યા છે. લંપી ધીમે ધીમે પ્રસરી રહ્યો છે તેમ છતા સરકારે આ બાબતને ગંભીરતાથી ન લેતા ગાયોને મોતાથી બચાવી શકાય નહિં.  કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સીમમાં તેમજ શહેરોની હદમાં બાયપાસ રોડ પર સેંકડો મૃતદેહોના ખડકલા જોવા મળતા હોય તેવા વિડીયો  વાયરલ થઈ રહ્યા છે.  નાગોર ડમ્પીંગ સાઈડ મધ્યે મૃત પશુઓના ખડકલા કરી દેવાયા હતા. માંડવી તાલુકા ગોધરા ગામે  ગત જુન માસમાં ૩૦૦ ગાયો મોતને ભેટી હોવાના આક્ષેપ ઉઠયા હતા. કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝનો વાયરલ વાધતો જાય છે. ત્યારે આ ગંભીર પરિસિૃથતીની સમીક્ષા કરવા આવતીકાલે ખુદ રાજયના મુખ્યમંત્રી કચ્છ આવી રહ્યા છે. આવતીકાલે સવારે મુખ્યમંત્રીની મુલાકાતના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર દોડાધામમાં મુકાયુ છે. મુખ્યમંત્રી ભુજ નગરપાલિકાએ લમ્પિગ્રસ્ત ગાયો માટે શરૃ કરેલા આઈસોલેટેડ વાડાની મુલાકાત લેશે. ત્યારબાદ તંત્રના અિધકારીઓ સાથે સમીક્ષા કરશે. લમ્પીના પગલે સરકારની કામગીરી સામે માછલા ધોવાઈ રહ્યા છે. એપ્રિલાથી કચ્છના ગૌધનમાં લમ્પિયનો વાયરલ ફેલાયો હતો. દિવસો જતા જિલ્લાના તમામ દસેય તાલુકાઓમાં ફરી વળ્યો છે. 

હાલમાં કચ્છ જિલ્લામાં ૨૬ આઈસોલેશન શેલ્ટરમાં ૭૧૨ ગાયો સારવાર મેળવી રહી છે. લમ્પિાથી સૌથી વધુ અબડાસામાં ૧૧ હજાર ૮૨૮ ગાયો અને લખપતમાં ૧૦ હજાર ૭૬૫ ગાયો અસરગ્રસ્ત થઈ છે. લમ્પીના કારણે સરહદ ડેરીમાં દુાધની આવકમાં દૈનિક ૧૫થી ૨૦ હજાર લીટર એટલે કે અંદાજે ૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

વહીવટી તંત્રે આપેલા આંકડાઓ અનુસાર, કચ્છ  જિલ્લામાં કુલ ૨૩.૭૯કુલ પશુાધન સામે  ૫.૭૪લાખ ગાય સંવાર્ધન પશુાધનનો સમાવેશ થાય છે જેમાંથી ૩૭ હજાર ઉપરાંત પશુ લમ્પીરોગાથી અસર થવા પામેલ છે. પૂર્વ કચ્છમાં વાધુ અસર છે. ૨૦૩૨૯૨ગાયોને રસીકરણ અને  ૪૯૯૭૪ ગાયોને સારવાર આપવામાં આવે છે.  ૩૧ જુલાઈની સિૃથતિ જિલ્લામાં ૨ લાખ ૩ હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ ૪૯,૯૭૪ પશુઓની સારવાર કરાઈ છે. લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં ૧૧૩૬ પશુઓના મોત થયા છે. જ્યારે લમ્પી વાઈરસાથી અસરગ્રસ્ત હોય એવા ૩૭,૮૪૦ પશુઓની સારવાર કરવામાં આવી છે.  જિલ્લામાં કુલ ૧૦૨ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ આવેલા છે જેમાં ૮૨,૮૨૪ની સંખ્યામાં પશુાધન છે.  ગૌશાળા અને પાંજરાપોળમાં ૪૬,૬૭૧ પશુઓનું રસીકરણ કર્યું છે.  પૈકી માંડવી તાલુકામાં કુલ ૨૧૭૬૨ ગાયોનું રસીકરણ કરાયું છે તેમજ ૩૪૭૮ પશુઓની ઉત્તરોત્તર સારવાર ચાલી રહી છે.બિદડા ગામમાં ૧,૦૬૨ ગાય છે. જેમાં ૪૮૦ ગાયનું માલિકોએ અંગત ધોરણે રસીકરણ કરાવ્યું છે.

લમ્પી રોગ વકરતા આજે મુખ્યમંત્રી આજે ભૂજમાં, વેકસીન સેન્ટર જશે

ગુજરાતમાં લમ્પી રોગની સૌથી વધુ અસર કચ્છમાં છે. હજારોની પશુઓ લમ્પી રોગનો શિકાર છે.ગંભીર પરિસિૃથતિનુ નિર્માણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  મંગળવારે ભૂજ પહોંચી રહ્યા છે. તેઓ કચ્છ જિલ્લામાં પશુાધનની સારવાર ઉપરાંત સિૃથતીની સમિક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂજમાં આઇસોલેશન સેન્ટર, વેકસીન સેન્ટરની મુલાકાત લેશે. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રના અિધકારીઓ બેઠક યોજીને રોગચાળા નિયંત્રણની કામગીરીની સમિક્ષા કરી માર્ગદર્શન પુરુ પાડશે.

Tags :