For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'હું કરું છું ત્યાં કામ નહીં કરવાનું'- ધમકી આપતાં હમવતનીના પુત્રનું અપહરણ કર્યું

- માંડવી પોલીસ હવાઈ માર્ગે યુપી જઈને બાળકને પરત લાવી

- બાળકના પિતા સાથે ઝઘડો થયા બાદ બાળકને ચોકલેટની લાલચ આપી ઉઠાવીને આરોપી તેના વતન ઉત્તરપ્રદેશ પહોંચી ગયોઃ રિમાન્ડ મંગાશે

Updated: Sep 19th, 2022

Article Content Imageભુજ,શુક્રવાર

ચારેક દિવસ પૂર્વે માંડવીમાં ચોકલેટની લાલચ આપી માસુમ બાળકનું અપહરણ કરાતા પરિવાર સહિત પોલીસ તંત્રમાં દોડાધામ મચી ગઈ હતી. માંડવીથી માસુમ બાળકનું અપહરણ કરનાર શખ્શને કચ્છ પોલીસે યુપીથી બાળક સાથે જ પકડી લાવી છે. અપહ્ત બાળક હેમખેમ છે, સૃથાનિક માંડવી પોલીસ અને પશ્વિમ કચ્છ ગુનાશોધક શાખાએ સાથે મળીને અપહરણના કેસનો ભેદ ઉકેલ્યો છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, કડિયાકામ કરતો આરોપી ધર્મવીર થોડા દિવસોથી કામની તલાશમાં મોરબીથી માંડવી આવ્યો હતો. માંડવીમાં ધર્મવીરની મુલાકાત તેના ગામાથી ૪૦ કિલોમીટર દૂરના ગામમાં રહેતા ચંદ્રશેખર સાથે થઈ હતી. ધર્મવીરને ચંદ્રશેખર ધમકી આપતો હતો કે, હું કરૃં છું ત્યાં કામ નહીં કરવાનું. વારંવારની ધમકીથી ગુસ્સામાં ધર્મવીર ચોકલેટની લાલચ આપીને ચંદ્રશેખરના પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરી ટ્રેનમાં વતન ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયો હતો. મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરતાં આરોપી ધર્મવીરને માંડવી પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સાથી ટ્રેક કર્યો હતો. આરોપી બાળક સાથે યુ.પી. પહોંચ્યો તે સાથે જ માંડવી પોલીસે હવાઈ માર્ગે યુ.પી. પહોંચી ગઈ હતી અને બાળકને હેમખેમ પરત લઈ આવી છે. સામાન્ય ઝઘડામાં અપહરણની વાત આરોપીની વાત પોલીસને ગળે ઉતરતી નાથી જેાથી અપહરણકર્તા યુવાનને રિમાન્ડ પર લઈ વધુ વિગતો જાણવા પ્રયાસ કરશે તેમ ડીવાય.એસ.પી. જે. એન. પંચાલે જણાવ્યું હતું.માંડવી શહેરમાંથી પાંચ વર્ષના બાળકને ચોકલેટની લાલચ આપીને બાળકના અપહરણ થયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. જે બાળકનું અપહરણ કરનાર યુવાનને ઉતરપ્રદેશાથી ઝડપીને પોલીસ બાળક સાથે માંડવી લઈ આવી છે. પુત્ર હેમખેમ મળતા શ્રમજીવી પરિવારને ટાઢક થઈ છે. પોલીસની કામગીરીને પણ બિરદાવાઈ રહી છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, બાળકના પિતા ચંદ્રશેખરે પોલીસને જણાવેલ કે, ૧૪/૯/૨૦૨૨ના આરોપી ધર્મવીર તેમને ચા ની હોટલ પાસે મળ્યો હતો. તેને કામ અપાવવાના હેતુાથી તે ધર્મવીરને માંડવી ભીડ બજાર ખાતે લઈ ગયા હતા. તે વખતે તે પોતાના બાળક ઓમને સુલભ શૌચાલયના રેસ્ટરૃમના પરિચિત કર્મચારી પાસે મુકીને બજારમાં ગયા ત્યારે ધર્મવીર ઓમને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો.

આ બાબતે માંડવી પોલીસ માથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતા અપહરણકર્તા ધર્મવીર પાંચેક દિવસ પૂર્વે મસ્કા ગામે એક નિવૃત એએસઆઈના બની રહેલા ફાર્મ હાઉસમાં તે કડિયા કામ કરતો હતો. નિવૃત એએસઆઈના સાળા યશપાલએ તેને મોરબીથી મોકલ્યો હતો. પોલીસે યશપાલની પુચ્છા કરતા તો યશપાલે જણાવેલ કે તેમને ત્યાં કામ કરતા રામબહાદુરે ધર્મવીરનો પરિચય કરાવેલ હતો. રામબહાદુર અને ધર્મવીર એકબીજાને ઓળખતા હતા. તે પહેલા રામબહાદુર પાસે કામ કરતો હતો. અને રામ બહાદુર પાસેાથી ફોન લઈને તેના પિતા સાથે ફોનમાં વાત કરતો હતો. પોલીસે રામ બહાદુર પાસેાથી ધર્મવીરના પિતાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

ધર્મવીર પાસે મોબાઈલ અને રૃપિયા પણ ન હતા. જેાથી તે રસ્તે જતા વાહનોમાં લીફટ લઈને ગાંધીધામ અને ત્યાંથી મોરબી પહોંચ્યો હતો. મોરબીથી રાજકોટ પહોંચી તે દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો હતો. પોલીસે ધર્મવીરના પિતાનો મોબાઈલ નંબર ટેકનિકલ સર્વેલન્સ પર મુકી દીધો હતો જેાથી તે પિતાનો સંપર્ક કરે તો ખબર પડે. 

ધર્મવીરે એક વખત ટ્રેનમાંથી સહ પ્રવાસી પાસેાથી મોબાઈલ મેળવી તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી. પોલીસે તુરંત તે સહ પ્રવાસીનો સંપર્ક કરી તેનો અને બાળકનો ફોટો મંગાવ્યો હતો. સહપ્રવાસીએ તેને ખબર ન પડે તે રીતે બેઉના ફોટા પાડીને પોલીસને મોકલી આપ્યા હતા. જેાથી ધર્મવીર બાળક સાથે કન્ફર્મ હોવાનું નક્કી થઈ ગયુ હતુ. જો કે, સહ પ્રવાસી પોતાનું સ્ટેશન આવતા ઉતરી જતા પોલીસ ફરી મુંઝવણમાં મુકાઈ હતી. 

જો કે, બીજા દિવસે ફરી ધર્મવીરે કોઈ અજાણ્યા વ્યકિતના ફોન પરાથી પરિવારનો સંપર્ક કર્યા બાદ તેના ગામ સંત કબીરનગર જિલ્લાના ધનઘાટા તાલુકાના કોદવટ ગામે જતો હોવાનું નક્કી થયુ હતુ. ધર્મવીર બાળકને લઈને તે ઘરે પહોંચે તે પહેલા જ પોલીસે તેને દબોચી લેવા આયોજન કર્યુ હતુ અને માંડવી પોલીસની ટીમ ખાસ હવાઈ માર્ગે યુપી પહોંચી હતી અને માંડવી પોલીસ સૃથાનિક પોલીસ યુપીની મદદાથી તેના ઘરે પહોંચી ગઈ હતી, જેવો ધર્મવીર આવ્યો તેને દબોચી લઈને બાળકને મુકત કરાવ્યો હતો. 

ધર્મવીર પોતે પરિણિત અને બે વર્ષના બાળકનો પિતા છે. માંડવી પોલીસ બાળક સાથે ધર્મવીરને લઈને માંડવી પહોંચી આવી છે. તેને બાળક સાથે કંઈ ખોટુ કર્યુ નાથી. તેને સમયસર ખવડાવતો પીવડાવતો હતો. પ્રાથમિક પુછતાછ દરમિયાન એવુ બહાર આવ્યુ છે કે, ફરિયાદી ંચંદ્રશેખર સાથે કામ અપાવવા બાબતે તેને ઝઘડો થયો હતો. જેાથી ગુસ્સામાં આવીને તેને બાળકનું અપહરણ કર્યુ હતુ. અને બાળકને લઈને યુપી રવાના થઈ ગયો હતો. જો કે, આ કબુલાત પોલીસને ગળે ઉતરતી ન હોવાથી ધર્મવીરના રિમાન્ડ મંગાશે. 

આ કાર્યવાહીમાં રેન્જ આઈ.જી. જે.આર.મોથાલીયા, એસ.પી. સૌરઘસિંઘ, ના.પો.અિધક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શનમાં માંડવી પી.આઈ. એન.કે.રબારી તેમજ એલસીબીના પીઆઈ. એસ.એન.ચુડાસમા સહિત પોલીસ કાફલો કામગીરીમાં જોડાયો હતો.

Gujarat