કચ્છમાં કોરોનાના કેટલા રિપોર્ટ અનામત? તંત્રની ભેદી ચુપકિદી
- માહિતી છુપાવવાના તંત્રના વલણથી પેદા થઈ રહેલી સ્ફોટક સ્થિતિ
- બે દિવસ જુના રિપોર્ટ જાહેર કરાઈ રહ્યા છે : પોઝિટિવ કેસોની વિગતો જાહેરમાં કરવામાં રમત રમાતી હોય તેવી શક્યતા
ભુજ, શુક્રવાર
કચ્છમાં કોરોના વકરવાની અણીએ હોય તેવો તાલ તંત્રની હિલચાલને જોતા લાગી રહ્યો છે. જે રીતે રોજ નમુના લેવામાં આવી રહ્યા છે અને તેની સામે ગણતરીના પરિણામ જાહેર કરાય છે. તે જોતા અનેક વિગતો છુપાવવામાં આવતી હોવાની બાબત બહાર આવી છે. ડીડીઓ દ્વારા સચોટ વિગતો આપવામાં આવી રહી નાથી. પરિણામે મહામારીની સચોટ સિૃથતિાથી વાકેફ થવા ઈચ્છુક કચ્છવાસીઓ ઉલટાના ભયના ઓાથારમાં જીવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ હાલના કોરોના મહામારીકાળમાં આરોગ્ય વિભાગ ફ્રન્ટલાઈન પર કામ કરતું હોય પરંતુ હાલે આરોગ્ય અિધકારીની જ મ હિતી આપવામાંથી બાદબાકી કરી દેવાઈ છે. જિલ્લા વિકાસ અિધકારીએ ખુદ કોરોનાને લગતી માહિતી આપવાની કમાન સંભાળી છે. પરંતુ જરૃરી વિગતો લોકો સુાધી પહોંચાડવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. જેના કારણે લોકો સુાધી કોરોના પોઝિટિવના આંકડા, તેના ગામની વિગતો, ટ્રાવેલ હિસ્ટ્રીથી માંડીને બાકી ટેસ્ટના નમુના જેવી અનેક ઝીણટવટભરી માહિતી મળી રહી નાથી . જે વિગતો જાહેર કરાય છે તેમાં અનેક ગોટાળા અને ત્રુટી હોવાથી કચ્છીઓ ભ્રમિત થઈ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ અને ડીડીઓ વચ્ચે સંકલનના અભાવે આખું કચ્છ આ મહામારીમાં સચોટ વિગતોથી દુર છે. અન્ય રાજયોના લોકોને માત્ર થર્મલ સ્ક્રિનીંગાથી એન્ટ્રી આપવાની ભુલ કચ્છને ભારે પડી રહી છે.
હાલે કચ્છમાં કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી ૯૯ ટકા મુંબઈના છે. જેના નમુના લેવાની કામગીરી ચાલી રહી છે. જેમાંથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઈરાદાપુર્વક ઓછી જાહેર કરાતી હોવાની આશંકા તંત્રના વલણ પરાથી સૃથાપિત થઈ છે. હાલે જિલ્લા તંત્ર બે દિવસ જુના રીપોર્ટ જાહેર કરી રહ્યું છે. જેને લઈને કચ્છભરમાં ચર્ચા ઉઠી છે. કચ્છમાં કોરોના લેબ ચાલુ થઈ ગઈ છે ત્યારે રોજના ૧૦૦ નમુના ટેસ્ટ થઈ શકે તેમ છે. તો શા માટે બે દિવસ પાછળના રીપોર્ટ જાહેર કરાય છે. સૃથાનિકે લેબ હોવાછતાં સરેરાશ ૧૫૦ થી ૨૦૦ જેવા નમુના પેન્ડીંગ રહેતા હોય તે બાબત ગળે ઉતરે તેવી નાથી. જો પેન્ડીંગ હોય તો શા માટે તેના નમુનાની સંખ્યા કહેવામાં પાછીપાની કરાઈ રહી છે. તંત્રની વતુર્ણક ઉપરાથી કચ્છની સિૃથતી જોખમી થઈ રહી હોઈ તંત્ર વિગતો છુપાવતું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. વિગતો મેળવવા ડીડીઓાથી લઈને જવાબદાર અિધકારીઓને સંપર્ક કરવા છતાં આંખ આડા કાન કરાતા હોવાથી હાલની સિૃથતી સ્ફોટક બનવા જઈ રહી હોય તેવો ભય લોકોમાં ઉભો થયો છે. અમદાવાદ જેવા શહેરમાં રોજના સેંકડો પોઝીટીવ દર્દીઓ જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે ત્યાંના સરકારી બાબુઓની કામગીરી સામે કચ્છનું તંત્ર ઉણું ઉતરી શાહમૃગ વૃત્તિ દાખવી રહી હોય તેવી ચર્ચા ઉભી થઈ છે.