Get The App

હનીટ્રેપ કાંડની સુત્રધાર મનિષા ગોસ્વામી ૮ દિવસના રિમાન્ડ પર

- હવે સમગ્ર ષડયંત્રમાં કેટલા અને કોની કેટલી ભૂમિકા, તે બહાર આવશે

Updated: Jun 24th, 2023

GS TEAM


Google News
Google News

ભુજ,શુક્રવારહનીટ્રેપ કાંડની સુત્રધાર મનિષા ગોસ્વામી ૮ દિવસના રિમાન્ડ પર 1 - image

હનીટ્રેપ ૪ કરોડની ખંડણી આપઘાતના ચર્ચાસ્પદ કેસની મુખ્ય સુત્રાધાર એવી મનિષા ગોસ્વામીનો કબજો પાલારા જેલમાંથી મેળવી એલસીબીએ ધરપકડ કર્યા બાદ શુક્રવારે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટેમાં રજુ કરતાં અદાલતે આરોપણના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પાલારા જેલમાં બેઠા બેઠા હનીટ્રેપનો સમગ્ર કારસો રચી અને ઢોરીના યુવક દિલીપ આહિરને મરવા મજબુર કરનાર આરોપણ મનિષા ગોસ્વામીનો એલસીબીએ પાલારા જેલમાંથી ટ્રાન્સફર ઓર્ડર પર કબજો મળેવી લીધા બાદ આ કેસના મૂળ સુાધી પહોંચવા તેમજ સમગ્ર ષડયંત્રમાં કેટલા અને કોની કેટલી ભૂમિકા છે. તે ગુાથી ઉકેલવા ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપણ મનિષાને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. કોર્ટે મનિષાના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો, આ કેસમાં હજુ મનિષાનો પતિ ગજ્જુગરી ગોસ્વામી, અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને કોમલ જેઠવા સહિતના આરોપીઓ પોલીસ પકડાથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

Tags :