કચ્છમાં 665 સસ્તાભાવની અનાજ દુકાનેથી વિનામૂલ્યે અન્ન વિતરણ
- રાપર તાલુકાના 31885 તથા રાપર શહેરના 3182 લાભાર્થીઓને અનાજ કિટ વિતરણ
- જિલ્લા કક્ષાનો અન્ન દિન કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ રાપર ખાતે યોજાયા
ભુજ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતા હેઠળ રાપર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ આજરોજ ૧૭ હજારથી વધુ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી લાભાર્થીઓને ૧૫ કિલો અનાજનું વિતરણ કરાશે એમ શ્રમ રોજગાર મંત્રીએ આ તકે જણાવ્યું હતું.
આજે ૬૯.૮૦ લાખના કુટુંબના ૩.૪૨ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનો લાભ મળશે જેમાં કચ્છની ૬૬૫ દુકાનો પૈકી રાપરમાં ૭૪ સસ્તા અનાજની દુકાને પાત્રતા ધરાવતા લાભાર્થીને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં રાપર તાલુકાના ૩૧૮૮૫ તથા રાપર શહેરના ૩૧૮૨ લાભાર્થીઓને અનાજ કિટ આપવામાં આવશે.
તત્કાળ રાશનકાર્ડ વગરના, પરપ્રાંતના, મજુરો, શ્રમિકો, ઘર વિહોણા લોકો માટે એપ્રિલ ૨૦૨૦થી અન્નબ્રહમ યોજના અંતર્ગત ૬૩.૬ લાખ લોકોને પ્રતિ વ્યકિત દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫કિલો ચોખા મળી ૫ કિલો અનાજ અને લાભાર્થી કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠાના ફૂડ બાસ્કેટનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. રૃ.૧૧ કરોડ આ અનાજ વિતરણમાં કચ્છના ૧૬૯૯૮ લાભાર્થીઓને અનાજ વિનામૂલ્યે અપાયું હતું તેવી માહિતી રોજગાર મંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ યોજના હેઠળ કોરોના મહામારીમાં જિલ્લાના ૨૪૫૦૦૦ શખજીછ કુટુંબોના બેંક ખાતામાં રૃ.૧૦૦૦ ની રોકડ સહાય જમા કરાવવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૬૬૫ વ્યાજબી ભાવની દુકાનોમાં ૧૩૪૪૮૪૯ લાભાર્થીઓને શખજીછ હેઠળ અનાજ વિતરણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ચોથા તબક્કામાં ૨૮૬૫૫૬ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે.