Get The App

બજારોમાં કોરોનાના ભય વગર ખુલ્લા મોંઢે ફરતા નાગરિકો

- શાકભાજી તેમજ અન્ય વસ્તુનું વેચાણ કરતા લારીવાળા માસ્કનો ઉપયોગ કરતા નથી

Updated: Jan 21st, 2022

GS TEAM

Google News
Google News
બજારોમાં કોરોનાના ભય વગર ખુલ્લા મોંઢે ફરતા નાગરિકો 1 - image

ભુજ,ગુરૃવાર

કચ્છ જિલ્લામાં હાલ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.આ સાથે જિલ્લાના વડા માથક ભુજ સહિત દરેક તાલુકાઓમાં રોજબરોજ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.પરંતુ બજારોમાં કોરોના ભય વગર બેદકારી પૂર્વંક નાગરિકો માસ્ક વગર આમતેમ ફરી રહ્યા છે.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામ, ભુજ, અંજાર અને મુંદરા શહેરમાં કોરોનાના કેસો વાધુ નોંધાઈ રહ્યા છે. આ શહેરોમાં રોજેરોજ ૨૫થી ૫૦ની વચ્ચે કોરોનાના કેસો રોજબરોજ નોધાઇ રહ્યા છે તેમ છતા સૃથાનિક નાગરિકોની બેદરકારી ખુલ્લીને જોવા મળી રહી છે. ભુજ શહેરની મુખ્ય બજારોમાં નાગરિકો માસ્ક વગરના ફરતા જોવા મળી રહ્યા છે.વળી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે.આવી સિૃથતીમાં કોરોનાના વધુ કેસો શહેરમાં નવા નોધાઇ તો નવાઇ નહી તેમ નાગરિકો જણાવી રહ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યુ છે પરંતુ બજારોમાં માસ્ક વગર ફરતા નાગરિકો ક્યાક ન દેખાતા હોવાનુ સૃથાનિક નાગરિકો રોષ પૂર્વંક જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર માસ્ક,સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે પ્રચાર પ્રસાર કરે છે.તેમ છતા ક્યાક સૃથાનિક નાગરિકો ગંભીરતા ન દાખવતા હોવાનુ જણાઇ આવે છે.તંત્ર દ્વારા માસ્ક વગરકના ફરતા સુપરસ્પ્રેડર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

 અનેક મહિલાઓ શાકભાજી, ફળફળાદી અને દૂાધ ખરીદ્યા પછી સંક્રમિત થયાનું બહાર આવ્યું છે ત્યારે તંત્ર આવી બાબતોને નજર અંદાજ કરતું જોવા મળ્યું છે.  સવારાથી સાંજ સુાધી શિયાળો હોવાથી શાકભાજી અને ફળફાળાદીની લારી આગળ ખરીદી માટે મોટી ભીડ જોવા મળે છે. શાકભાજી વેચતા તેમજ અન્ય વેચાણ કરતા લારીવાળા માસ્કનો ઉપયોગ કરતા નાથી   આ સંજોગોમાં લારી અને ફેરીયાવાળા જો સંક્રમિત થયા હશે તો ખરીદી મારફતે સંક્રમણ ઘેર..ઘેર સુાધી પ્રસરે તેવી દહેશત વાધી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવા લારી-પાથરણાવાળાના એન્ટીજન ટેસ્ટની તાતી જરુરીયાત હોવાનું કેટલાક નાગરિકોએ જણાવ્યું છે.