Get The App

ભુજ નગર પાલિકાના નિવૃતોને મહેકમમાં સમાવવા કોર્ર્ટનું ફરમાન

Updated: Nov 22nd, 2024

GS TEAM

Google News
Google News
ભુજ નગર પાલિકાના નિવૃતોને મહેકમમાં સમાવવા કોર્ર્ટનું ફરમાન 1 - image

કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવી ગયેલા  

નગરપાલિકાએ મોકલેલી દરખાસ્ત પર ત્રણ અઠવાડિયામાં યોગ્ય નિર્ર્ણય કરવા કોર્ટે જણાવ્યું

ભુજ: ભુજ નગર સેવા સદનમા ૧૯૮૫ થી રોજમદાર તરીકે ભરતી થયેલા કર્મચારીઓ કાયમી થવા માટે જે તે સમયે રાજકોટ લેબરકોર્ટમાં દાદમાં ગયા હતા જેને લઇને રાજકોટ લેબર કોર્ટે આ કામદારોને નોકરીના એક વર્ષ પછીથી કાયમી ઘણી તેના હક હિસા આપી દેવા જણાવ્યું હતું અને તે વખતે હક હિસા મળ્યા હતા પરંતુ ભુજ નગરપાલિકાએ કર્મચારીઓને મહેકમમાં સમાવાયા નતા જેને લઈને અનેક રજૂઆતો છતાં નગર સેવા સદરને ખાલી પડેલી જગ્યા ઉપર સિનીયોરીટીના ધોરણે આ કર્ર્મચારીઓને મહેકમમાં લીધા ન હતા અને અન્ય કર્ર્મચારીઓને મેહેકમલઈને અન્યાય કર્યો હતો. ભુજ નગરપાલિકાએ ૧૩૨/૧૩ ના એક ઠરાવ કરીને આઅંગેની દરખાસ્ત રાજકોટ ખાતે મોકલી હતી તેમ છતાં રાજકોટ એ ૨૦૧૮ સુધી તેની મંજૂરી આપી ન હતી. 

દરમિયાન કર્મચારીઓ હાઇકોર્ર્ટમાં કર્મચારી અગ્રણી દર્શક અંતાણીના નેજા હેઠળ હાઇકોર્ટમાં ધારાશાસ્ત્રી શિવાંગભાઈ શાહ મારફતે દાદ માંગ્યો હતો. દરમિયાન ભુજ નગરપાલિકાના કર્ર્મચારીઓએ સતત રજૂઆતો કરી હોવા છતાં તેમણે ખાસ કોઈ લાભ મળતા ન હતા અને જ્યારે જ્યારે પગાર પંચ મંજુર થાય ત્યારે નિયામક દ્વારા મેહેકમ માં ન હોય તેને આવા લાભો મળી શકે નહીં તેવું પરિપત્રમાં જણાવતા લાભો મળતા ન હતા જેને લઈને છઠ્ઠુ પગાર પંચ પણ હજુ મળ્યું નથી . દરમિયાન હાઇકોર્ર્ટમાં ફરી આ અંગે એવાર્ર્ડ કર્મચારીઓ દ્વારા હાઇકાર્ટમાં તારીખ ૨૧/૨/૨૪ના કેસ ચાલતા કર્ર્મચારીઓ વતી યુવા ધારાશાસ્ત્રી  શિવાંગભાઈ શાહ હાજર રહી અનેધાર દાર રજૂઆતો કરતા રજૂઆતના પગલે જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ એવોર્ડી કર્મચારીઓએ ત્રણ અઠવાડિયા ની અંદર ભુજ નગરપાલિક કરેલી દરખાસ્ત હાથ ધરવી અને નગરપાલિકાએ મોકલેલી દરખાસ્ત પર ત્રણ અઠવાડિયામાં યોગ્ય નિર્ર્ણય કરવા જણાવ્યું હતું અને તેની જાણ આગામી ૧૯/૧૨ના કોર્ટને કરવા પણ જણાવ્યું હતું. આમ હવે વર્ષોથી નગરપાલિકામાં ફરજ બજાવી અને નિવૃત થયેલા ઓને લાભો મળતા ન હતા જે હજુ પણ મળ્યા નથી પણ આ હુકમથી અનેક જે લાભો એવોર્ડ કર્મચારીને અટક્યા છે તે મળશે.