Get The App

માધાપરમાં આર્મી જવાનની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત

Updated: Sep 27th, 2024

GS TEAM

Google News
Google News
માધાપરમાં આર્મી જવાનની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત 1 - image

ભુજ: માધાપર નવાવાસના ગોકુળધામ-૧ સોસાયટીમાં રહેતા આર્મી જવાનની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટા વળે ફાસો ખાને આપઘાત કરી લીધો છે. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત  વિગતો મુજબ મૂળ પંચમહાલના હાલ માધાપર ખાતે ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને આર્મીમાં બટાલિયન ૨૦માં સિપાઈ તરીકે નોકરી કરતા દિપકકુમાર શંકરભાઈ વનકરના પત્ની રોશનીબેન દિપકકુમાર વણકર (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ શુક્રવારે બપોરે સવા ત્રણ વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખા પર દુપટ્ટા બાંધીને આપઘાત કરી લેતાં પ્રથમ આર્મી હોસ્પિટલ લઈ ગયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં હાજર પરના તબીબે રાત્રે પોણા નવ વાગે મુત જાહેર કરતાં પોલીસે બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.