અંજાર નગર ૫લિકાએ વતન જનારા શ્રમિકો પાસેથી રૃ.૭પ૦-૮૦૦ લેખે ભાડુ ઉઘરાવ્યું!
- મુસાફરી ખર્ચ ભોગવવાની સરકારની જાહેરાતો પોકળ સાબિત થઈ
અંજાર, તા.૭
કચ્છમાંથી વતનમાં જનારા શ્રમિકોની ટ્રેનને લીલીઝંડી આપીને કચ્છના રાજકીય નેતાઓએ પોતે લોકોની સાથે હોવાનો દેખાડો કર્યો હતો. તેના ગણતરીના સમયમાં જ આજે અંજાર પાલિકાએ વતનમાં જનારા શ્રમિકો પાસેાથી રૃ.૭પ૦થી ૮૦૦ સુાધી ભાડું ઉઘરાવ્યું હોવાની બાબત બહાર આવતા ભાજપ સરકાર અને રાજકીય નેતાઓના બેવડા વલણો સામે આવી ગયા છે. બીજી તરફ અંજારના વહીવટી તંત્રએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, ભાડુ ન લેવાની કોઈ સૂચના કે પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા નાથી. લોકડાઉનના સમયમાં વતનમાં જનારા શ્રમિકો પાસેાથી ટ્રેનના ટિકીટ ભાડા લેવાઈ રહ્યા હોવાના મામલે રાષ્ટ્રીય કક્ષાએ આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસે શ્રમિકોનું ભાડુ આપવાની તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ સરકારે પણ ભાડુ ભોગવવાની જાહેરાત કરી છે. પરંતુ આ બાધી વાતો માત્ર કાગળ પર જ હોય તેમ આજે કચ્છના અંજારમાં પાલિકાએ શ્રમિકો પાસેાથી ભાડુ ઉઘરાવીને પાલિકાના સહી-સિક્કા સાથેની સત્તાવાર પહોંચ પણ આપી છે! અંજારમાંથી વતનમાં જતા તમામ શ્રમિકો પાસેાથી તંત્ર દ્વારા એડવાન્સ ભાડુ વસુલ કરીને પહોંચ આપવામાં આવી રહી છે.
આ અંગે અંજાર મામલતદારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ફક્ત ટ્રેનની વ્યવસૃથા કરવામાં આવે છે. ૧ર૦૦ મુસાફરો થાય એટલે જે તે સૃથળ સુાધી સરકાર ટ્રેન મોકલી આપે છે. જેમાં યુપી જનારા શ્રમિકો પાસેાથી રૃ.૭પ૦ અને બિહાર જનારા શ્રમિકો પાસેાથી રૃ.૮૦૦ નિયત ભાડુ વસૂલ કરવામાં આવી રહ્યું છે. તંત્ર ફક્ત ઈમરજન્સીની વ્યવસૃથા કરી આપે છે. તેના માટે ટિકીટ ભાડુ શ્રમિકોએ જ ચુકવવાનું રહે છે. સરકાર દ્વારા ભાડુ વસૂલ ન કરવાની કોઈ સૂચના આપવામાં આવી નાથી.
કચ્છમાં શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડુ નહિં વસુલાય તેવી મંત્રીની જાહેરાતનો ફિયાસ્કો
લોકડાઉનમાં શ્રમિકો મજાક બની ગયા હોય તેમ લોકડાઉનના ૪૫ દિવસો પછી પણ તેઓ વતન પહોંચી શકયા નાથી. અને હવે, સરકાર દ્વારા જયારે તેઓને ઘરે પહોંચાડવાની વ્યવસૃથા કરાઈ છે ત્યારે ભાડુ વસુલવામાં આવી રહ્યુ છે. રાજયમંત્રી વાસણ આહિરે શ્રમિકો પાસેાથી ભાડુ વસુલવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી તેમ છતા સરકાર તાથા મામલતદારની સુચનાથી તલાટીઓ દ્વારા શ્રમિકો પાસેાથી ભાડુ વસુલવામાં આવે છે. આ સિૃથતીને જોતા કચ્છ કોંગ્રેસે શ્રમિકોનું ભાડુ ચુકવવા તૈયારી બતાવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિનિાધી મંડળ સાથે જિલ્લા કલેક્ટરને મળી અંદાજીત ૧૨૦૦ જેટલા પ્રવાસી શ્રમિકોનું પુરી ટ્રેનનું ભાડુ ચુકવવા તૈયારી સાથે લેખિતમાં બાંહેાધરી આપી હતી. કોંગ્રેસે જણાવ્યુ હતુ કે, કોઈ પણ રાજયની એક ટ્રેનના પ્રવાસીઓની યાદી યાદી આપવામાં આવે જેાથી શ્રમિકોને મદદરૃપ થઈ શકાય.વધુમાં, સરકારી એસ.ટી.બસ પણ દોડાવવામાં આવે તેવી પણ માંગ કરી છે. તો બીજીતરફ, રાજયમંત્રી વાસણ આહિર દ્વારા મીડીયા મારફતે જાહેરાત કરી હતી કે, કોઈ પણ શ્રમિકોનું ભાડુ લેવાતુ નાથી અને ભાડુ લેવાનું નાથી. તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. તેમ છતા સરકાર-મામલતદારની સુચનાથી તલાટીઓ મારફતે ટીકીટ ભાડાના નાણા વસુલ કરવામાં આવી રહ્યા છે જે શરમજનક છે.