અંજાર-વરસામેડી હાઇવે પરના કોમ્પ્લેક્ષમાં ૧૫ પક્ષીઓનાં મોત
- મોતનું કારણ જાણવા પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પણ કારણ હજુએ અકબંધ
ગાંધીધામ, તા. ૨૧
અંજાર-વરસામેડી રોડ પર આવેલા એક કમ્પ્લેક્ષમાં અચાનક એક સાથે ૧૫ જેટલા શાંતિના દૂત મનાતા કબુતરોના મોતની ઘટના સામે આવતા અરેરાટી ફરલાઈ હતી. જોકે ઘટના અંગે જાણ કરવામાં આવતા ડાક્ટરની ટિમ ઘટના સૃથળે ધસી ગઈ હતી પરંતુ આ ઘટનાનું કારણ જાણી શકાયું ન હતું.
બનાવ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે બની હતી. જેમાં અંજાર-વરસામેડી રોડ પર આવતી વેલ્સપન કંપનીની બાજુમાં આવેલી રૃકનશા પીરની દરગાહના સામે એક કોમ્પ્લેક્ષ આવેલું છે. જેમાં એક સાથે ૧૫ જેટલા કબુતરોના મૃતદેહ મળી આવ્યા હતા. આ હૃદય કંપવતી ઘટના અંગેની જાણ પશુ ડોક્ટરને કરવામાં આવતા તાત્કાલિક ડોક્ટરની ટિમ ઘટના સૃથળે પહોંચી ગઈ હતી પરંતુ એક પણ કબૂતરને બચાવી શકાયા ન હતા. આ ઘટના શા માટે બની તે અંગે સૃથાનિકોએ જાણવા અનેક પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કારણ જાણી શકાયું ન હતું. તો બીજી તરફ ડોકટરોની ટીમને પણ કારણ ન મળતા પી.એમ. કરી સેમ્પલ લેબમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ સમયે અચાનક મોટી સંખ્યામાં કબૂતરોના મોત થતા કોઈ મોટી બીમારીના સંકેત તો નાથીને? તેવા પ્રશ્નો પણ વહેતા થયા હતા. જોકે રિપોર્ટ આવ્યા બાદ તમામ પ્રશ્નોના જવાબો મળશે તેવું જણાવવામાં આવ્યું હતું.