Get The App

બાલાસિનોરના જેઠોલી ગ્રામ પંચાયતમાં પાકો રોડ જ નથી

Updated: Oct 1st, 2024

GS TEAM

Google News
Google News
બાલાસિનોરના જેઠોલી ગ્રામ પંચાયતમાં પાકો રોડ જ નથી 1 - image

- રોડ નહીં બનાવાય તો આંદોલનની ચિમકી

- 10 હજાર લોકોનો રસ્તા માટે રઝળપાટ છતાં તંત્રનું મૌન : ઉકેલ લાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા પાંચ પરા વિસ્તારમાં આજદિન સુધી પાકો રોડ જ બન્યો નથી. સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂઆત છતાં પરિણામ નહીં મળતા આખરે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. જો સત્વરે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચિમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. 

બાલાસિનોર તાલુકામાં આવેલી જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાંચ પરા વિસ્તાર સહિત જેઠોલી ગ્રામપંચાયતમાં અંદાજિત દસ હજારની વસતી છે. ત્યારે અહીં પાકો માર્ગ જ નથી. ગામમાં આવેલા પરા વિસ્તાર પૈકી લવારીયા અને વાવલી જે બંને પરા વિસ્તારોમાં પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. જયારે આ બંને પરા વિસ્તારના રહેવાસીઓને આ જેઠોલી ગામ અને તાલુકા મથક સહિતના અન્ય ગામો ચોમાસાંની તુમાં અનેક વખતે પાણી આવવાથી સંપર્ક વિહોણા પણ બન્યા છે. ત્યારે આ વિસ્તરામાં ૧૦૮ સહીત પશુ દવા કરવા આવતી ગાડીઓ પણ પ્રવેશી શકતી નથી. સગર્ભા મહિલાઓને ખાટલાઓમાં લઈને એકથી દોઢ કિલોમીટર આવવું પડતું હોય છે. પ્રાથમિક શાળાના બાળકો ચોમાસાની તુમાં કેડસમા પાણીમાંથી શાળાએ અભ્યાસ કરવા મજબૂર બને છે. ત્યારે પાકો રોડ બનાવવા અંગે પંચાયત વિભાગના અધિકારીઓ, સ્થાનિકો નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા અંતે જેઠોલીના સરપંચે આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ત્યારે સત્વરે કોઈ કાર્યવાહી કે પાકો રોડ નહીં બને તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.