Get The App

ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

Updated: Mar 13th, 2022

GS TEAM


Google News
Google News
ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શનના સમયમાં ફેરફાર કરાયો 1 - image


- ફાગણી પૂનમના ત્રિદિવસીય મેળા દરમિયાન

- ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી 17 થી 19 માર્ચ સુધી દર્શનના સમયમાં વધારો

નડિયાદ : આગામી દિવસોમાં યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળા દરમ્યાન  ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે માટે ટેમ્પલ કમીટી દ્વારા આજે ત્રણ દિવસના દર્શનના સમયમાં ફેરફાર કરી જાહેર કરાયો છે.

જેમાં ફાગણી પૂનમના આગલા દિવસે એટલે કે ૧૭.૩.૨૦૨૨ને ગુરુવારે ફાગણ સુદ ચૌદશના દિવસે સવારે ૫.૦૫ થી ૭.૩૦ દરમ્યાન મંગળા દર્શન, સવારે ૮.૦૫ થી બપોરે ૧.૩૦  દરમ્યાન શ્રુંગારભોગ દર્શન, બપોરે ૨.૦૫ થી ૫.૩૦  રાજભોગ દર્શન, સાંજે ૬.૦૫ થી ૮ વાગ્યા દરમ્યાન ઉત્થાપન દર્શન અને રાત્રે ૮.૨૦થી શયનસેવા થઇ સખડીભોગ આરોગી શ્રીજી અનુકૂળતાએ પોઢી જશે.

તા. ૧૮.૩.૨૦૨૨ને ફાગણ સુદ પૂનમને દિવસે દોલોત્સવ ઉજવાશે. આ દિવસે સવારે ૪.૦૫ થી ૮.૩૦ મંગળા દર્શન, ૯ થી બપોરે ૧ ફુલડોળ દર્શન, બપોરે ૧ થી ર શ્રુંગારભોગ દર્શન , બપોરે ૩.૩૫ થી ૪.૩૦ રાજભોગ દર્શન, અને  સાંજ ે૫.૨૦ થી ઉત્થાપન દર્શન થઇ સખડીભોગ આરોગી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે.

ફાગણી પૂનમના બીજા દિવસે તા.૧૯.૩.૨૦૨૨ને ફાગણ વદ એકમના દિવસે સવારે ૫.૩૦ થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે ૮.૩૫ થી ૧૨.૩૦ શ્રુંગારભોગ દર્શન, બપોરે ૧.૦૫થી રાજભોગ દર્શન બાદ ઠાકોરજી અનૂુકુળતાએ પોઢી જશે. ત્યારબાદ સાંજે ૪.૦૫ થી ૫.૩૦ દરમ્યાન ઉત્થાપન દર્શન થશે.

સાંજે ૫.૫૦ થી ૭ વાગ્યા સુધી શયનભોગ દર્શન, અને રાત્રે ૭.૪૫થી સખડીભોગ દર્શન ખુલશે અને પછી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે. ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા યાત્રિકા સરળતાથી અને શાંતિથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમય જાહેર કરાયા છે. જે માટે ભક્તોએ દર્શનનો લાભ લેવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

Tags :