Get The App

રૈયોલી ગામને ડાયનાસોર પ્રવાસન સ્થળ તરીકે નવનિર્મિત કરાયું

- મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના

- રૈયોલીના ડુંગરો ઉપરથી 37 વર્ષ પૂર્વે ડાયનાસોરના દુર્લભ અવશેષો મળ્યા હતા

Updated: Jun 3rd, 2019

GS TEAM


Google News
Google News
રૈયોલી ગામને ડાયનાસોર પ્રવાસન સ્થળ તરીકે નવનિર્મિત કરાયું 1 - image



- કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી બનાવાયેલા મ્યુઝિયમનું 7મીએ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન


બાલાસિનોર, તા.2 જૂન 2019, રવિવાર

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના ડુંગરો ઉપર આજથી ૩૭ વર્ષ પૂર્વે આર્કિયોલોજીક સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ના ધ્યાન ઉપર વિશ્વમાં દુર્લભ એવા ડાયનાસોર ની પ્રજાતિઓ જે આજથી સાડા છ હજાર વર્ષ પૂર્વ હોવાનું અનુમાન છે તેના પથ્થર થઈ ગયેલા અવશેષો મળી આવતા આ વિસ્તારમાં સધન તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ડાયનાસોરના અવશેષો તેમજ ઈંડા ઓના સમૂહો ધ્યાન ઉપર આવતા જ રૈયોલી કેજે ચાર હજારની અંદાજીત વસ્તી ધરાવે છે તે વિશ્વના નકશા ઉપર ખ્યાતી પામી છે.

અહીંથી મળેલા વિપુલ પ્રમાણમાં અવશેષો ધ્યાનમાં રાખી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા આ સ્થળ વિકસાવવા નું નક્કી કરવામાં આવ્યું હતું. ૭૨ હેક્ટરના વિશાળ પટની તપાસમાં આવરી લઇ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે જેમાં રૈયોલી તેમજ ગુજરાતના દાહોદ કચ્છ તેમજ દેશમાં મળેલ અવશેષોની આકૃતિઓ ફોટા વિગતો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જે આગામી ૭ જૂને રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવનાર છે મ્યુઝિયમની બહાર વિશાળ ગેટ તેમજ અંદર ડાયનાસોરની મોટી પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે

મ્યુઝિયમમાં વિશ્વભરમાં જ્યાંથી ડાયનાસોર ની વિવિધ પ્રજાતિઓ મળી ને સચિત્ર અને પ્રતિકૃતિઓમાં કંડારવામાં આવેલ છે સૌથી છેલ્લી રૂમમાં ડાયનાસોરના અવશેષો ઈંડા પણ મુકવામાં આવેલ છે આ મ્યુઝિયમની અંદર પ્રોજેક્ટ પ્રવાસીઓને પૂરતી જાણકારી મળી રહે તે માટે પ્રોજેક્ટર રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નીચે બેઝમેન્ટમાં ડાયનાસોર ની વિવિધ પ્રજાતિઓ ની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર છે. 

રૈયોલી ના ડુંગર ઉપર ગાર્ડન બનાવવાનું બાકી છે અને ચેકડેમ બનાવી નાના તળાવનું કામ બાકી છે આ વિશ્વવિખ્યાત રૈયોલી ગામની ચાર હજારની વસ્તીમાં પ્રવેશતા જ ૫૫ વર્ષ પહેલા બનાવેલ પંચાયત ઘર ખંડેર હાલતમાં છે અને આ પંચાયત થઈને પ્રવાસીયો જે ડાયનાસોર પાર્ક જોવા આવે છે ત્યારે ગામ માં નહિવત વિકાસ અને ગામ ના છેડે આવેલ રૈયોલી પાર્ક -જોતા ગામ વિકાસ જંખે છે  જેનું સરપંચ ગુલાબસિંહ ના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ તાલુકા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. હાલ માં પંચાયત નું તમામ કામ કોમ્યુનિટી હોલ માં બેસી ને કરવામાં આવી રહ્યું છે ત્યારે વ્હાલા અને  અળખામણાની નીતિ અહીં જોવા મળી છે. 

અહીં એક આદર્શ પંચાયત ઘર બનાવવાની જરૂર છે અને ગામની જેઠોલી તેમજ દીવ ની આસપાસના તળાવમાંથી સિંચાઈ માટે દૂર સુધી પાણી આપવામાં આવે છે ત્યારે આ ગામને હાલ માં કેટલાય વર્ષથી સિંચાઈ નું પાણી નથી મળી રહ્યું અને માત્ર જેઠોલી બે કિમિ દૂર હોવા છતાં પણ સિંચાઈથી અહીંના ગામ લોકો વંચિત રહ્યા છે જેથી અન્ય  સુવિધા આપવાની જરૂર છે. એક આદર્શ ગામ પ્રવાસીઓને આકર્ષે તેવા સુધારા-વધારા પણ જરૂરી છે જ્યારે ગ્રામજનોની માગણી ને સરકાર દ્વારા હલ થાય અને રૈયોલી ગામ એ એક આદર્શ ગામ તરીકે વિકસે તેવી અહીંના પ્રજા ગુજરાત સરકાર સામે માંગણી કરતા જંખી રહી છે  

Tags :