કપડવંજ તાલુકાની 102 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 35 તલાટીઓ !
- મોટાભાગની ગ્રામપંચાયતોમાં તલાટી જ નથી
- ચાર્જમાં ચાલતા વહિવટથી અરજદારોના કામો થતા નથી, ગામદીઠ તલાટી મુકવા માંગણી
ગ્રામ પંચાયત ને લગતી કામગીરી જન્મ મરણ દાખલા, પેઢીનામું આવકના દાખલા, ચતુરસીમાનાકામો, બેંક ને લગતા લાઈટ બીલ થી અનેક કામકાજ માટે જે તે ગ્રામપંચાયત ના ગ્રામજનો ને તલાટી જરૂર પડતી હોય છે પરંતુ અવારનવાર મિટિંગો તેમજ એક તલાટી ને ચારથી પાંચ ગ્રામ પંચાયતના સેવા કેટલાક તલાટી ને ગ્રામ પંચાયત લાંબા અંતરે સેજા હોવાથી તલાટીઓ ને ગ્રામ પંચાયત ના ગ્રામજનો ને ન્યાય આપવામાં વિલંબ પડે છે.
જેના કારણે ગ્રામજનો ને સંતોષ મળી શકતો નથી કેટલીક વખત ગ્રામ જનો દ્વારા તલાટીઓ પ્રત્યે ગેરસમજ પણ ઉભી થતી હોય છે ઉપરાંત ૧૦૨ ગ્રામ પંચાયત સામે માત્ર ૩૫ તલાટીઓ હોવાથી ગ્રામજનો ને પણ ગ્રામપંચાયત ને લગતા કાર્ય કરવામાં મુશ્કેલીઉભી થાય છે. માટે તાલુકા પંચાયત ના સત્તાધીશો દ્વારા આ બાબતે યોગ્ય નિણર્ય લેવાય તો તલાટીઓ તેમજ ગ્રામજનો ને પંચાયત ના લગતા કામગીરી માં રાહત મેળવી શકે જેનો ભોગ તલાટીઓ ને ગ્રામ જનો ને વેઠવોન પડે તે જરૂરી છે