Get The App

અંબાલા તળાવમાંથી મગરોને રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડવા સ્થાનિકોની માંગ

Updated: Jul 30th, 2024

GS TEAM

Google News
Google News
અંબાલા તળાવમાંથી મગરોને રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડવા સ્થાનિકોની માંગ 1 - image

- 4 મગર કોઇનો ભોગ લે તે પહેલા 

- તળાવની પાળ પાસે રહેતા 20 કુંટુંબો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામ પંચાયતના પેટા ગામ અંબાલા ઈન્દિરા નગરીના રહેઠાણની પાછળ આવેલ અંબાલા તળાવમાં નહિવત પાણીમાં એક વિશાળ મગર, એક મોટી મગરી અને તેનાં બે બચ્ચા કુલ ૪ મગરોનું રહેવાનું સ્થાન બની જવા પામ્યું છે. મગરોને તળાવમાંથી રેસ્ક્યૂ કરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે. 

આ અંબાલા તળાવની પાળ ઉપર વીસથી વધુ કુટુંબો રહે છે. બિલકુલ રહેઠાણોથી પાંચથી દસ ફૂટના અંતરે આ નગરીના રહેવાસીઓ રહે છે. તળાવની પાળ ઉપર ઘણીવાર ઘરોની પાછળ કિનારે આવી જતા આ નગરીમાં રહેતા આદિવાસી ભાઈ-બહેનો અને અનુસૂચિત જાતિના સેનવા સમાજના કુટુંબોને વર્ષો પહેલા ગામતળના હોવાથી અંબાલા તળાવ ઉપર વસવાટ માટે ઈન્દિરા આવાસ યોજનામાં આ ઘરો ફાળવી આપ્યા હતા. 

ડાભસર ગામ પંચાયતથી એક કિલોમીટરના અંતરે આ અંબાલા નગરી આવેલી છે. સ્થાનિકોનું કહેવું છે આ તળાવમાં એક બે નહિ બે મોટા અને બે નાના આમ ચાર મગરો  રહે છે. અંબાલા તળાવની નજીક મુખ્ય મહી કેનાલ પસાર થતી હોવાથી ઘણીવાર આ મગરો નર્મદાના પાણી પડાલ ગામ પાસેથી મહી કેનાલમાં આવતું હોવાથી મોટા-નાના મગરો આ તળાવમાં આવી રહેઠાણ કરે છે. 

કોઈનો ભોગ લેવાય એ પહેલા ગળતેશ્વર તાલુકાના જંગલખાતાના અધિકારીઓ કર્મચારીઓ રેસ્ક્યુ કરી તળાવમાં રહેતા મગરોને પકડવાની કામગીરી કરવામાં આવે તેવી ડાભસર ગામના અંબાલા તળાવના રહેવાસીઓની લાગણી માંગણી છે.