- 4 મગર કોઇનો ભોગ લે તે પહેલા
- તળાવની પાળ પાસે રહેતા 20 કુંટુંબો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે
આ અંબાલા તળાવની પાળ ઉપર વીસથી વધુ કુટુંબો રહે છે. બિલકુલ રહેઠાણોથી પાંચથી દસ ફૂટના અંતરે આ નગરીના રહેવાસીઓ રહે છે. તળાવની પાળ ઉપર ઘણીવાર ઘરોની પાછળ કિનારે આવી જતા આ નગરીમાં રહેતા આદિવાસી ભાઈ-બહેનો અને અનુસૂચિત જાતિના સેનવા સમાજના કુટુંબોને વર્ષો પહેલા ગામતળના હોવાથી અંબાલા તળાવ ઉપર વસવાટ માટે ઈન્દિરા આવાસ યોજનામાં આ ઘરો ફાળવી આપ્યા હતા.
ડાભસર ગામ પંચાયતથી એક કિલોમીટરના અંતરે આ અંબાલા નગરી આવેલી છે. સ્થાનિકોનું કહેવું છે આ તળાવમાં એક બે નહિ બે મોટા અને બે નાના આમ ચાર મગરો રહે છે. અંબાલા તળાવની નજીક મુખ્ય મહી કેનાલ પસાર થતી હોવાથી ઘણીવાર આ મગરો નર્મદાના પાણી પડાલ ગામ પાસેથી મહી કેનાલમાં આવતું હોવાથી મોટા-નાના મગરો આ તળાવમાં આવી રહેઠાણ કરે છે.
કોઈનો ભોગ લેવાય એ પહેલા ગળતેશ્વર તાલુકાના જંગલખાતાના અધિકારીઓ કર્મચારીઓ રેસ્ક્યુ કરી તળાવમાં રહેતા મગરોને પકડવાની કામગીરી કરવામાં આવે તેવી ડાભસર ગામના અંબાલા તળાવના રહેવાસીઓની લાગણી માંગણી છે.


