- મામલતદાર અને વીજ કચેરીઓમાં આવેદનપત્ર અપાયા
- 11 વર્ષથી 68 પરિવારોના ઘરોમાં રોજ સાંજે વીજ પ્રવાહ બંધ થઈ જતા બાળકો, ગૃહિણીઓને હાલાકી
આવેદપત્રમાં જણાવ્યું છે કે, વિરપુર તાલુકાના પાસરોડા ગ્રામ પંચાયતમાં આવેલા આકલીયા ગામના ૩૦ જેટલા પરીવાર, સારીયા ગ્રામ પંચાયતના બાકરીયા ગામના ૨૫ પરીવાર, હાંડીયા ગ્રામ પંચાયતમાં હનુમાન મંદિર ટેકરા વિસ્તારના ૧૩ પરીવારોને એગ્રીકલ્ચર લાઈનમાંથી ઘર વપરાશના વીજ કનેક્શન અપાય છે. આપવામાં આવ્યા છે. જેથી છેલ્લા ૧૧ વર્ષથી સાંજના સમયથી વીજ પ્રવાહ (ખોરવાઈ)બંધ થઈ જાય છે. સંધ્યાકાળે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા ગૃહિણીઓને ભારે હાલાકી પડે છે. દિવસમાં માત્ર ચારથી પાંચ કલાક જ લાઈટની સુવિધા મળે છે. જેથી બાળકો સહિત લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામમાં જ્યોતિ ગ્રામ યોજના થકી લાઈટ ન હોવાથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાં અગવડ પડે છે.
આગાઉની રજૂઆતના પગલે ૨૪ કલાક ઘર વપરાસ માટે વીજ પુરવઠો આપવામાં આવતો હતો પણ કોઈ કારણોસ ૨૦૧૩ પછી ૨૪ કલાકનો વિજ પુરવઠો સંદતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ૬૮ જેટલા પરિવારો છેલ્લા ૧૧ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે જ્યોતી ગ્રામ યોજના થકી ૨૪ કલાક ઘરવપરાસ વીજળી પૂરી પાડવાની માંગણી કરાઈ છે.


