એનઆરઆઇનું મકાન પચાવી પાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ઠાસરા તાલુકાના ડાકોરના દલાપુરા ગામે
- અમેરિકાથી આવેલા વલ્લવપુરાના વતનીએ પોલીસમાં 2 શખ્સો સામે ગુનો નોંધાવ્યો
અમદાવાદના થલતેજમાં રહેતા ઉત્કર્ષ પટેલને તેમના પિતાના મિત્ર અતુલકુમાર ચતુરભાઇ પટેલે પાવર ઓફ એર્ટની કરી આપી છે.જો કે અતુલકુમાર પટેલ વલ્લવપુરા ગામના વતની છે અને તેઓ અમેરિકામાં વસવાટ કરે છે.થોડા મહિના અગાઉ તેઓ દલાપુરા ખાતે આવ્યા હતા.તે સમયે તેમના મલિકીના સર્વે નંબરવાળા મકાનમાં અશોકભાઇ વાઘજીભાઇ પટેલ અને મેહુલ અશોકભાઇ પટેલ મકાનમાં ગેરકાયદેસર રીતે બીજુ તાળુ મારી કબજે કર્યો છે.
જે અંગે અતુલભાઇને જાણ થતા વારંવાર અશોકભાઇને અને મેહુલભાઇને મકાનનો કબ્જો છોડવા સમજાવ્યા હતા.તેમ છતા બંને વ્યક્તિઓએ મકાનનો કબ્જો છોડયો ન હતો. જેથી અંગે ગત તા.૨૨-૧૧-૨૦૨૧ ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી કરવામાં આવી હતી.
જે અંગે જિલ્લા સમાહર્તાએ અરજી માન્ય રાખી પોલીસ કેસ કરવા જણાવ્યુ હતુ.જેથી આ અંગે ઉત્કર્ષ દિલીપભાઇ પટેલે ડાકોર પોલીસ મથકે અશોકભાઇ વાઘજીભાઇ પટેલ અને મેહુલ અશોકભાઇ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ડાકોર પોલીસે ગુનો નોંધી અગળની કાર્યવાહી હાથ ધરી છે.