Get The App

વિરપુરના બોર ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

Updated: Jul 15th, 2024

GS TEAM

Google News
Google News
વિરપુરના બોર ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત 1 - image

- પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો

- તળાવમાં પાણી લેવા જતા અચાનક પગ લપસી જતાં યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો

વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામના અલુ તળાવમાં પાણી લેવા ગયેલા યુવાનનો પગ લપસી જતા તળાવના પાણીમાં ગરકાવ થઈ જવાનથી તેનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

વિરપુર પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના બોર ગામના ૪૮ વર્ષીય પર્વતભાઇ મોતીભાઈ પરમાર (રહે. બોર, તા. વિરપુર) કુદરતી હાજતે જઈ રહ્યા હતા. તે સમયે ગામના જ અલુજીના તળાવમાં પાણી લેવા માટે ઉતર્યા હતા. દરમ્યાન પર્વતભાઇનો આકસ્મિક રીતે પગ લપસી જતાં તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં લોકટોળા તળાવ પર ઉમટી પડયા હતા. 

ત્યારે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં ભારે જહેમત બાદ પોલીસ અને સ્થાનીકોની મદદથી મૃતદેહને બહાર કાઢયો હતો. અચાનક જ પર્વતભાઇના મોતના સમાચારથી ગામમાં તેમજ પરીવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.