ખેડા-આણંદ જિલ્લામાં કોરોનાના 32 કેસ
- કાતિલ કોરોનની મહામારીનો મધ્ય ગુજરાતમાં અડિંગો
- નડિયાદમાં બાર, ચકલાસીમાં ત્રણ, વસોમાં બે તથી પીજ-મહુધામાં એક-એક કેસ
નડિયાદ, આણંદ, તા.27 જુલાઈ 2020, સોમવાર
ખેડા જીલ્લામાં આજે વીસ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં જીલ્લાના વડા મથક નડિયાદમાં બાર અને તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે મહુધામાં બે અને વસોમાં ત્રણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ સાથે જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૬૨૬ પર પહોંચ્યો છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી કોરોનાનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. આજે પણ આણંદ જિલ્લામાંથી વધુ નવા ૧૨ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. દિવસેને દિવસે વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ જો તંત્ર દ્વારા આ અંગે આળસ ખંખેરવામાં નહી આવે તો આવનાર દિવસો આણંદ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકવાની સંભાવના ઉભી થઈ છે.
ગત તા.૬ જુલાઈના રોજથી આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો બીજો તબક્કો શરૃ થયો હોય તેમ રોજેરોજ નવા-નવા વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. આજે પણ આણંદ તાલુકામાંથી ૫ તેમજ જિલ્લાના ઉમરેઠ, બોરસદ, પેટલાદ, આંકલાવ, તારાપુર તાલુકામાંથી ૭ મળી કુલ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદ શહેરની પ્રથમ સોસાયટીમાં રહેતી એક ૭૧ વર્ષીય મહિલા તેમજ આણંદ તાલુકાના વડોદ ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય પુરૃષ તથા આણંદ પાસેના હાડગુડ ગામે ગાયત્રીનગર નિધિ પાર્ક ખાતે રહેતા ૩૭ વર્ષીય પુરૃષ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. ઉપરાંત આણંદ તાલુકાના ચિખોદરા ગામના ગામતપુરામાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતી તથા આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષીય મહિલાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
બીજી તરફ જિલ્લાના પેટલાદ, બોરસદ સહિતના વિવિધ તાલુકા મથકોમાં પણ કોરોનાનું સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. તાલુકા મથક ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં જુમ્મા મસ્જિદ નજીક રહેતા ૫૦ વર્ષીય પુરૃષ, તારાપુરની એક ૬૭ વર્ષીય મહિલા, પેટલાદની ખંભાતી ભાગોળમાં મિરઝાની ખડકી ખાતે રહેતા ૮૦ વર્ષીય વૃધ્ધ તથા પેટલાદના આશી ગામે આવેલ દંતાલી ફળીયામાં રહેતા ૬૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત આંકલાવ તાલુકાના નવાખલ ગામની એક ૮૦ વર્ષીય વૃધ્ધા તેમજ બોરસદની વ્હોરા સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા અને બોરસદ તાલુકાના સૈજપુર ગામે રહેતી ૫૫ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ, પાલિકા તેમજ પંચાયતોની ટીમો વિવિધ વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને જે-તે વિસ્તારમાં સેનીટાઈઝીંગ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોની આરોગ્ય તપાસ હાથ ધરી હતી.
સોજિત્રાની મહિલા, આંકલાવના શખ્સના મોતની અફવા ઉડી
છેલ્લા એક માસ ઉપરાંતથી જિલ્લામાં કોવિડના કારણે થયેલ મૃત્યુ આંક ઉપર બ્રેક વાગી છે ત્યારે નોન કોવિડથી થતા મૃત્યુઆંક પણ સચોટ ન હોવાના આક્ષેપ સાથે જિલ્લામાં વાસ્તવિક મૃત્યુ આંક વધુ હોવાનો ગણગણાટ તેજ બન્યો છે. આજે જિલ્લાના તાલુકા મથક સોજિત્રાની એક મહિલા તેમજ તાલુકા મથક આંકલાવ ખાતેના ગ્રાહક ભંડાર સંકળાયેલ અગ્રણીનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની ચર્ચાઓ સોશીયલ મીડીયામાં વ્યાપી હતી. જો કે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી.
ખેડા જિલ્લાના અન્ય સ્થળો પર નોંધાયેલા કેસ
પુરૃષ ઉં.વ. ૫૭ દરબાર પોળ, વસો
મહિલા ઉં.વ. ૬૫ વાણિયાવાડ, લાલજીભાઈની ખડકી, વસો, નિલેશકુમાર પી. પટેલ ઉં.૪૭ આથમણા, પીજ, નજીરમહંમદ જી. મલેક ઉં. ૬૪ ફીણાવ ભાગોળ,મહુધા, સપનાબેન જી. ચૌહાણ, ઉં.વ. ૧૮ માતાવાળું ફળિયું, નગવાલ, તા. મહુધા
નડિયાદ શહેર અને તાલુકાના કેસ
હીનાબેન એચ.પંચાલ ઉં.વ. ૪૪ કૃષ્ણકુંજ સોસાયટી,નડિયાદ, સ્મિત પી.શાહ ઉં.વ. ૨૩ ગાંધી પાર્ક સોસાયટી,નડિયાદ, અનીષાબેન એચ.પટેલ ઉં.વ. ૪૫ અંબિકા સોસાયટી, નડિયાદ, રીનાલી એચ.પટેલ ઉં.વ. ૨૫ અંબિકા સોસાયટી, નડિયાદ, હેતલકુમાર બી.પટેલ ઉં.વ. ૪૮અંબિકા સોસાયટી, નડિયાદ, દ્રષ્ટી એન.પટેલ ઉં.વ. ૧૫ અંબિકા સોસાયટી, નડિયાદ, મહિલા ઉં.વ. ૪૨ પારસસિટી સેન્ટર, નડિયાદ, મહિલા ઉં.વ. ૭૫ મધરટેરેસા પાર્ક, મીશનરોડ, નડિયાદ, મહિલા ઉં.વ. ૩૯ ચંદ્રસેતુ સોસાયટી, નડિયાદ, પુરૃષ ઉં.વ. ૫૨ વિશ્વકર્મા સોસાયટી, નડિયાદ, પુરૃષ ઉં.વ. ૬૨ નાગરવાડનો ઢાળ, નડિયાદ,
પુરૃષ ઉં.વ. ૫૭ વિહાર સોસાયટી, નડિયાદ, મહિલા ઉં.વ. ૩૫ પઠાણવાડો ચકલાસી, પુરૃષ ઉં.વ. ૩૭ પંડયા પોળ, ચકલાસી, મહિલા ઉં.વ. ૬૮ વ્હોરા કોલોની, ચકલાસી,