ખેડા જિલ્લામાં અપમૃત્યુના 2 બનાવ વાસણા ખુર્દ ગામે વહેરામાં ડૂબી જતાં 1 નું મોત
- ખેડા તાલુકાના પરસાંતજ ગામે ખેતરમાં ઘાસ વાઢવા ગયેલી યુવતીને જનાવર કરડતાં મૃત્યું
નડિયાદ, તા.21 જૂન 2020, રવિવાર
ખેડા તાલુકામાં બે અલગ અલગ જગ્યાઓ પર અપમૃત્યુના બનાવો બન્યા છે.જેમાં પહેલો બનાવ પરસાંતજ માં અને બીજો બનાવ વાસણા ખુર્દ ગામે બન્યા છે.આ બંને બનાવો અંગે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા તાલુકાના પરસાંતજ ગામે બન્યો છે.જેમાં રેખાબેન પરેશભાઇ ગોહેલ ઉં.૩૦ તેમના ખેતરમાં ઘાસ વાઢતા હતા.તે સમયે કોઇ ઝેરી જનાવર કરડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા પ્રાથમિક સારવાર આપી તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર ગરમ્યાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે ડૉ.મટઇ તબીબી અધિકારી નડિયાદ સિવિલ હોસ્પિટલે ખેડા પોલીસને જાણ કરતા ખેડા પોલીસે એ.ડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજો બનાવ ખેડા તાલુકાના વાસણાખુર્દ ગામે બન્યો હતો.જેમાં પૂનમભાઇ બબાભાઇ વાઘેલા ઉં.૫૪ કોઇ કારણોસર વહેરાના પાણીમાં ડૂબી ગયા હતા.તેઓ પાણી પી જતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે સમૂબેન ચિમનભાઇ વાઘેલા રહે,વાસણા ખુર્દે ખેડા પોલીસ મથકે જાણ કરતા ખેડા પોલીસે એ.ડી નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.