બાલાસિનોરમાં કોરોના પોઝિટિવના 3 સાથે જિલ્લામાં 13 કેસ નોંધાયા
- લુણાવાડા તાલુકામાં એક સાથે સાત કેસ નોંધાયા સંતરામપુર, ખાનપુરમાં પણ સંક્રમણ ફેલાયું
બાલાસિનોર, તા. 20 જુલાઈ 2020, સોમવાર
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેરા આજે પણ યથાવત રહયો હતો આજે સતત છઠ્ઠા દિવસે કોરોનાના વધુ ૧૩ કેસ આવતા મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ ૨૬૩ કેસ થવા પામ્યા હતા હાલ ૭૦ દર્દીઓ સારવાર લઇ રહયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૫૫૭ વ્યક્તિઓના કોરોના ના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૫૧૪ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૃરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રે માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાત કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાં લુણાવાડા શહેરમાં પાંચ કેસ આવ્યા હતા જેમાં જેમાં ૩૨ વર્ષના પુરુષ, ૩૪ વર્ષના પુરુષ., ૬૨ વર્ષના પુરુષ, ૨૮ વર્ષના પુરુષ, ૮૨ વર્ષના પુરુષ, જયારે લુણાવાડા તાલુકાના ચારીયા ગામના ૪૭ વર્ષના પુરુષ, કોઠંબા ગામના ૨૫ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે બાલાશિનોર ગામના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં ૨૫ વર્ષના પુરુષ, ૫૨ વર્ષના પુરુષ, અને ૨૩ વર્ષના પુરુષનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જયારે સંતરામપુર તાલુકામાં બે કેસ આવ્યા હતા જેમાં ૩૧ વર્ષનો પુરુષ, ૫૬ વર્ષના પુરુષ અને ખાનપુર તાલુકાના બાકોર ગામે ૫૬ વર્ષના પુરુષનો કેશ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં તારીખ ૨૦-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ ૨૬૩ કેસ પોઝીટીવ નોધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૧૪ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૧૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૬૫૫૭ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૧૪ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૯ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૨ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૮ દર્દી હોમ આઇસોલેસન,૧ દર્દી એસ. એસ. જી હોસ્પિટલ વડોદરા, ૦૩ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૧ બેન્કર્સ હોસ્પિટલ વડોદરા,૧ ધીરજ હોસ્પિટલ વડોદરા,૧ નારાયણા હોસ્પિટલ અમદાવાદ, અને ૨ નવનીત મેમોરીયાલ હોસ્પિટલ અમદાવાદ, ૧ સાલ હોસ્પિટલ અમદાવાદ, ૧ સ્પનધન હોસ્પિટલ વડોદરા, ૧ યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ, ૪ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ લુણાવાડા, ૫ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૬૦ દર્દીઓ સ્ટેબલ અને ૧૦ દર્દીઓ ઓક્સિજન પર છે આમ મહીસાગર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો હતો.