Get The App

જૂનાગઢ: લોકડાઉન વચ્ચે વતન ન જઈ શકતાં તરૂણે આત્મહત્યા કરી

- વંથલી તાલુકાના કોયલી ગામનો બનાવ, વાહન વ્યવહાર બંધ હોવાથી છોટાઉદેપુરના વતનીએ ગળેફાંસો ખાઈ લીધો

Updated: Apr 2nd, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ: લોકડાઉન વચ્ચે વતન ન જઈ શકતાં તરૂણે આત્મહત્યા કરી 1 - image

જૂનાગઢ, તા.2 એપ્રિલ 2020 ગુરૂવાર

વંથલી તાલુકાના કોયલી ગામમાં રહેતા શ્રમિક પરિવારના 15 વર્ષીય પુત્ર આકાશ નથુભાઈ ભાભરે તેના વતન છોટાઉદેપુર ન જઈ શકવાને કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

જૂનાગઢ: લોકડાઉન વચ્ચે વતન ન જઈ શકતાં તરૂણે આત્મહત્યા કરી 2 - imageછેલ્લા ત્રણ-ચાર દિવસથી તે વતનમાં જવાની હઠ લઈને બેઠો હતો. લોક ડાઉનને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન પણ બંધ હોવાથી તે વતન ન જઈ શક્યો એટલે મનમાં લાગી આવ્યું હોવાથી તેણે જીવન ટૂંકાવી લેતાં શ્રમિક પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

Tags :