જૂનાગઢ, તા.2 એપ્રિલ 2020 ગુરૂવાર
વંથલી તાલુકાના કોયલી ગામમાં રહેતા શ્રમિક પરિવારના 15 વર્ષીય પુત્ર આકાશ નથુભાઈ ભાભરે તેના વતન છોટાઉદેપુર ન જઈ શકવાને કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી તે વતનમાં જવાની હઠ લઈને બેઠો હતો. લોક ડાઉનને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન પણ બંધ હોવાથી તે વતન ન જઈ શક્યો એટલે મનમાં લાગી આવ્યું હોવાથી તેણે જીવન ટૂંકાવી લેતાં શ્રમિક પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.


