જૂનાગઢ જિલ્લામાં કવોરન્ટાઈન હેઠળ રહેલા લોકોની સંખ્યા આઠ હજારને પાર
- બહારના જિલ્લામાંથી આવવા મંજૂરી અપાતા
- જૂનાગઢ જિલ્લામાંથી વધુ ૭૨ શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિના સેમ્પલ લેવાયા
જૂનાગઢ, તા. 9 મે, 2020, શનિવાર
બહારના જિલ્લામાંથી આવવા મંજૂરી અપાતા જૂનાગઢ જિલ્લામાં કવોરન્ટાઈનમાં રહેલા લોકોની સંખ્યા આઠ હજારને પાર પહોંચી ગઈ છે. આજે ભેંસાણમાંંથી ૪૬ સહિત જૂનાગઢ જિલ્લામાંથી વધુ ૭૨ શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતાં. હવે કુલ ૯૮ રિપોર્ટ પેન્ડીંગ છે. તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સરકારે મંજૂરી આપતા જૂનાગઢ જિલ્લામાં રોજ સેંકડો લોકો આવી રહ્યાં છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કવોરન્ટાઈન હેઠળ રહેલા લોકોની સંખ્યા ૫૮૦૦ વધુ હતી. જે આજે ૮૨૮૫ થઈ હતી. આમ એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં ૨૪૮૫ લોકો બહારના જિલ્લામાંથી આવતા તેઓને કવોરન્ટાઈન કરાયા હતાં.
સરકાર દવારા ૪૦ દિવસ સુદી લોકડાઉન રાખ્યું અને હવે મંજૂરી આપતા લોકો અન્ય જિલ્લામાંથી આવી રહ્યાં છે. તેના લીધે જૂનાગઢ જિલ્લા પર જોખમ ઉભુ થયું છે. અને આટલા દિવસ રહેલા લોકડાઉન પર પાણી ફરી વળે તેવી સ્થિતી સર્જાઈ છે.
આજે ભેંસાણમાંથી ૪૬,જૂનાગઢમાંથી ૧૩, વિસાવદરમાં થી ૭, માંગરોળમાંતી ૩ અને મેંદરડામાંતી એક મળી કુલ ૭૨ સેમ્પલ લેવામાં આવ્યા હતાં.તેને લેબમાં મોકલાયા છે. અત્યાર સુદીમા ંલેવાયેલા ભેંસાણનાં ૬૩, જૂનાગઢ શહેરનાં ૨૧, વિસાવદરના સાત તથા માંગરોળનાં ત્રણ - ત્રણ મળી કુલ ૯૮ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે. જૂનાગઢમાં મંજૂરી સાથે આવેલા જમાતીઓને કવોરન્ટાઈન કરાયા
સુરતથી આજે ૧૦ જેટલા જમાતીઓ આરોગ્યની તપાસ કરાવી મંજૂરી સાથે જૂનાગઢ આવ્યા હતાં. તેઓના આરોગ્યની તપાસ કરી કવોરન્ટાઈન કરાયા હતાં. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે,આ લોકો સુરતતી આરોગ્યની તપાસ કરાવી મંજૂરી સાતે જૂનાગઢ આવ્યા છે. તેની આરોગ્ય તપાસ બાદ નિયમો મુજબ કવોરન્ટાઈન કરાયા છે.