Get The App

જામનગરમાં નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખર્ચે પાઈપ લાઈન નેટવર્કનું કામ હાથ ધરાશે

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરમાં નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખર્ચે પાઈપ લાઈન નેટવર્કનું કામ હાથ ધરાશે 1 - image

જામનગર તા. 27

જામનગર શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે રૂ. 35 કરોડના ખર્ચે પાઇપ લાઇનનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ કામ પૂર્ણ થયા પછી સમગ્ર વિસ્તાર ટેન્કર મુક્ત બનશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ નાકા વિસ્તા , ઢીચડા રોડ, મહાપ્રભુજી બેઠક-ઇ.એસ.આર. તેમજ સમર્પણ ઇ.એસ. આર હેઠળ ના અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. રૂપિયા 35 કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવનાર છે. જે કામ પૂર્ણ થયા પછી લોકોને ઘરમાં નળ વાટે પાણી મળશે. અને ટેન્કર દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે.