અમદાવાદથી જામનગર આવતી ત્રણ મહિલાને કોરોના પોઝિટિવ
જામનગર, તા. 04 મે 2020, સોમવાર
જામનગરમાં કોરોનાવાયરસનો માત્ર એક કેસ અત્યાર સુધીમાં નોંધાયેલ છે અને જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરાતા આજે વેપાર-ધંધાની પ્રવૃત્તિનો ધમધમાટ શરૂ થયો ત્યાં અમદાવાદથી આવેલા આઠ લોકોને જામનગર બહાર ચેકપોસ્ટ પાસે અટકાવી નમૂના લેવાયા હતા.
તેમાં ત્રણ મહિલાઓને પોઝિટિવ આવતા દોડધામ શરૂ થઈ છે વળી આ મહિલાઓ દર્દીઓને અમદાવાદના કેસ ગણવા કે જામનગરના તે અંગે પણ ભારે અવઢવ મોડે સુધી ચાલ્યું જાણવા મળે છે.