જામનગર: જામજોધપુર માર્કેટીંગ યાર્ડ આગામી 26 માર્ચથી નવ દિવસ બંધ રહેશે
જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર
માર્ચ એન્ડીંગના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામજોધપુર (માર્કેટ યાર્ડ) આગામી તા.26 માર્ચથી નવ દિવસ સુધી બંધ રહેશે.
આગામી તા. 26 માર્ચથી 3 એપ્રિલ સુધી માર્ચ એન્ડીંગના કારણે જામજોધપુર માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવશે. તા. 25ના યાર્ડ માં કામકાજ ચાલુ રહેશે. ત્યારપછી તા.4 એપ્રિલના યાર્ડ રાબેતા મુજબ ખોલવામાં આવશે.
તા. 25ના તમામ જણસોની હરરાજી પછી નવી આવક બંધ કરવામાં આવશે તેમ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે.