Get The App

જામનગરઃ દરેડમાંથી 10 દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

- મીઠાઇના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
જામનગરઃ દરેડમાંથી 10 દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો 1 - image

જામનગર, તા. 1 નવેમ્બર 2021 બુધવાર

જામનગર નજીક દરેડ માં રહેતો અને એક મીઠાઈ બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતો એક પરપ્રાંતીય શ્રમિક યુવાન 10 દિવસ પહેલા લાપતા બની ગયા પછી તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

જામનગર નજીક દરેડમાં હરી પાર્ક સોસાયટીમાં રહેતો અને એક મીઠાઈ બનાવવાની ફેક્ટરી માં મજૂરી કામ કરતો ગુડ્ડુ પ્રતાપ સિંઘ કુશવાહા નામનો 29 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન ગત 20મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો હતો. જેની દસ દિવસ સુધી ભારે શોધખોળ કર્યા પછી ગઈકાલે તેનો મૃતદેહ દરેડ વિસ્તારમાં એક ઝાડ માં ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના સંબંધી લખન કીસન ભાઈ એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહને ઝાડમાંથી નીચે ઉતારી જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.