જામનગર નજીક દરેડમા કોરોનાવાયરસ સંક્રમિત બાળકના મૃત્યુ પછી અન્ય 31 વ્યક્તિઓના સેમ્પલો લેવાયા
જામનગર, તા.7 એપ્રિલ 2020, બુધવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં એક શ્રમિક પરિવારના 14 મહિનાના બાળકનુ કોરોનાવાયરસના સંક્રમિત બન્યા પછી મૃત્યુ નિપજતાં જામનગરનુ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે, અને દરેક વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી કરી દેવાઈ છે. અને બાળકના મકાન અને આસપાસના વિસ્તારમાંથી તેમજ બાળકના પરિવાર સાથે સંપર્કમાં આવેલી કુલ 31 વ્યક્તિના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે. અને જામનગરની જી.જી હોસ્પીટલમા ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગર નજીક દરેડમાં શ્રમિક પરિવારના 14 મહિનાના બાળકનુ આજે જામનગરની જી.જી હોસ્પિટલના બિછાને કોરોનાવાયરસની બીમારીના કારણે મૃત્યુ થયા પછી જામનગર જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બાળક જે વિસ્તારમાં રહેતું હતું તે સમગ્ર વિસ્તાર બે દિવસથી સીલ કરાયો છે. પરંતુ બાળકના મૃત્યુના અહેવાલ પછી તેના આસપાસના મકાનોમાં રહેતા ઉપરાંત બાળકના પરિવાર સાથે જોડાયેલી અન્ય વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ વગેરે મળી કુલ 31 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તમામની ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર આ મામલે ભારે સતર્કતા દાખવી રહ્યું છે. અને પ્રત્યેક વ્યક્તિને શોધી લીધા પછી દરેડ વિસ્તારમાં જ હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.