mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જોડિયા તાલુકાના બાલાચડી ગામનો કરૂણાંજનક કિસ્સો: પિતાના મૃત્યુથી વ્યથિત થયેલી પુત્રીએ આયખું ટુંકાવ્યું

Updated: Oct 17th, 2023

જોડિયા તાલુકાના બાલાચડી ગામનો કરૂણાંજનક કિસ્સો: પિતાના મૃત્યુથી વ્યથિત થયેલી પુત્રીએ આયખું ટુંકાવ્યું 1 - image


Image Source: Twitter

જામનગર, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં એક પરપ્રાંતિય યુવતીએ પોતાના પિતાના મૃત્યુથી વ્યથિત થઈ આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે. 

આ બનાવની વિગત એવી છે કે, બાલાચડી ગામના રડાર સ્ટેશનના સ્ટાફ કવાર્ટરમાં રહેતા આર. સેલ્વારાની ઓમ પ્રકાશ મુતુ નામની 29 વર્ષિય મહિલાના પિતાનું છ માસ પૂર્વે તેમના તામિલનાડુ વતનમાં મૃત્યુ થતાં પિતાના મૃત્યુથી ગુમસુમ રહેતી હતી. 

દરમિયાન ગત તા. 16.10.2023 ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેણીના પતિ ઓમપ્રકાશ મુતુએ જોડિયા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Gujarat