Get The App

જામનગરના 18 સહિત સૌરાષ્ટ્રમાંથી આવેલા 33 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતાં વધુ એક રાહતના સમાચાર

Updated: Apr 20th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરના 18 સહિત સૌરાષ્ટ્રમાંથી આવેલા 33 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતાં વધુ એક રાહતના સમાચાર 1 - image

જામનગર, તા. 20 એપ્રીલ 2020, સોમવાર

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના 18, પોરબંદર જિલ્લાના 10 અને ગીર સોમનાથના પાંચ સહિત 33 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેની ચકાસણી થયા પછી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જામનગર શહેર અને દરેડ વિસ્તારના અઢાર સેમ્પલો આજે સવારે ચકાસણી માટે આવ્યા હતા. ઉપરાંત પોરબંદરના દસ અને ગીર સોમનાથના પાંચ કોરોનાવાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ના સેમ્પલો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામ ૩૩ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણે જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.

Tags :