Get The App

જામનગરમાં અનેક શ્રમિકોને રોજી આપતા બ્રાસ ઉદ્યોગમાં પુન: સંચાર

- ૨૫૬ જેટલા એકમોને શરૂ કરવા મંજૂરી

- કેટલાક કારખાનાઓમાં સૌશિયલ ડિસ્ટન્સની જાળવણીની સાથે સાથે કામકાજ શરૂ કરાયું છે.

Updated: Apr 27th, 2020

GS TEAM

Google News
Google News


જામનગરમાં અનેક શ્રમિકોને રોજી આપતા બ્રાસ ઉદ્યોગમાં પુન: સંચાર 1 - image જામનગર, તા. 27 એપ્રિલ, 2020 સોમવાર

જામનગર ના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ ને આજથી ફરી ધમધમતો કરાયો છે. ૨૫૬ થી વધુ બ્રાસ એકમો શરૂ કરવા માટેની મંજૂરી અપાયા પછી કેટલાક મોટા એકમો આજથી શરૂ થયા છે. અને સરકારી ધારાધોરણો નું પાલન કરીને ઉદ્યોગ શરૂ કરાયો છે. પોલીસ દ્વારા પણ સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં સજ્જડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કારખાનામાં શ્રમિકો કરશે કામ જીઆઈડીસી વિસ્તારમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત 

 જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૩૪ દિવસથી લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બ્રાસ ના ૨૫૬ જેટલા એકમોને શરૂ કરવા માટેની શરતી મંજૂરી આપ્યા પછી જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં આજે કેટલાક નાના મોટા બ્રાસપાર્ટના એકમો શરૂ થયા છે. સરકારી તમામ ધારાધોરણ ચુસ્તપણે પાલન થાય તેને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારો દ્વારા સોશિયલ ડિસ્ટનસ રાખીને પોતાના કારખાના મા કામગીરી શરૂ કરાઇ છે.

 સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં મજુરોની અવરજવરથી અથવા તો લોકો ની ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટનસ જળવાયેલું રહે તેના અનુસંધાને પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નજીકના દિવસોમાં અન્ય બાકીના બ્રાસ ના એકમો પણ શરૂ થાય અને કામદારોને રોજીરોટી મળતી થઈ જાય તેવુ ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.

Tags :