જામનગર જિલ્લામાં દશામાના જાગરણ નિમિત્તે જુગાર અંગે સાત સ્થળોએ દરોડા
- ગંજીપાના વડે જુગાર રમી દશામાનું જાગરણ મનાવી રહેલી સાત મહિલાઓ સહિત 40 પત્તા પ્રેમી પકડાયા
જામનગર, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે દશામાનુ જાગરણ હતું જેમાં સાત જેટલા સ્થળોએ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સાત મહિલાઓ સહિત 40 જુગારીયા શખ્સોની ધરપકડ કરી લીધી છે અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામજોધપુર તાલુકાના પાટણ ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી કિરણબેન બધાભાઈ ડાભી, સોનલબેન ભાવિનભાઈ કોળી, ઉપરાંત નાથાભાઈ ઓઘડભાઈ ઓડેદરા અને સુમિત વિનોદભાઈ ભટ્ટી વગેરેને પોલીસે પકડી પાડયા છે અને તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત જામનગર નજીક હાપા- જવાહરનગર વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી કારીબેન હરજીભાઈ સાલાણી, કંચનબેન મુકેશભાઈ સાલાણી, બીનાબેન સંજયભાઈ ઝિંઝુવાડીયા, શોભનાબેન મનસુખભાઇ ચૌહાણ, નિમુબેન ધીરુભાઈ પરમાર વગેરે પાંચ મહિલા તથા ભગવતસિંહ ભીખુભા જાડેજા વગેરેને પકડી પાડયા છે અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તાર માંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમિત હરજીભાઈ સોલંકી સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે. જ્યારે ગોકુલ નગર સોમનાથ સોસાયટીમાંથી રાજેશ જયસુખભાઇ ઝિંઝુવાડીયા સહિત છ શખ્સોને પોલીસે પકડી પાડયા છે. ઉપરાંત જામનગર નજીક મોરકંડામાંથી જુગાર રમી રહેલા ગોપાલ દિલીપભાઈ ડોડિયા સહિત સાત શખ્સોને પોલીસે પકડી પાડયા છે.