Get The App

જામનગરના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં રહેતા મંડપ સર્વિસના સંચાલક અને તેની પત્ની પર તાવિથાથી હુમલો

Updated: Nov 27th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં રહેતા મંડપ સર્વિસના સંચાલક અને તેની પત્ની પર તાવિથાથી  હુમલો 1 - image


- મરણ પ્રસંગમાં મંડપ બાંધવાની માંગણી કરાયા પછી મંડપ સર્વિસ સંચાલકે ના પાડતાં થઈ બબાલ

જામનગર, તા. 27 નવેમ્બર 2022, રવિવાર

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારના રહેતા વિજય વેલજીભાઈ રાઠોડ નામના મંડપ સર્વિસના સંચાલકે પોતાના ઉપર તેમજ પત્ની ઉપર હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે બાપુનગર વિસ્તારમાં રહેતા સુખદેવસિંહ વાઢેર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે દંપત્તિને ઇજા થવાથી સારવાર અપાઈ છે.

ફરી વિજય વેલજીભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાનને બાપુનગર વિસ્તારમાં રહેતા સુખદેવ સિંહ ને પોતાના ઘેર મરણ પ્રસંગ થયો છે તેમ જણાવી મંડપમાં ઉભો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફરીયાદી વિજય ભાઈને ત્યાં સત્સંગ હોવાથી ના પાડી હતી.

જે પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટીએ. ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. જ્યારે ઇજાગ્રસ્ત દંપતિ ને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.

Tags :