Get The App

જોડિયામાં આયુષ વિભાગ દ્વારા મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

Updated: Apr 15th, 2022

GS TEAM


Google News
Google News
જોડિયામાં આયુષ વિભાગ દ્વારા મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન 1 - image

જામનગર તા 15 એપ્રિલ 2022,શુક્રવાર 

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, તેમજ વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ- જોડીયા દ્વારા જોડિયામાં આવેલા શ્રી મુકતેશવર મહાદેવ મંદિર ખાતે ગઈકાલે તારીખ 14.4.2022 ના રોજ મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયુષ મેગા કેમ્પનું ઉદઘાટન જોડિયામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના કથાકાર વૈશાલીબેન ગોસ્વામી હસ્તે દિપ પ્રાગટય કરી ભગવાન ધનવંતરીના પુજન થી સર્વ લોકો માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો.

જોડિયામાં આયુષ વિભાગ દ્વારા મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન 2 - image

જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીક પદ્ધતિથી નિદાન સારવાર કરવામાં આવી હતી. તેમજ ઘરઆંગણાની ઔષધિઓ, રસોડાની ઔષધિઓ,મસાલા ની ઉપયોગીતા વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સાથોસાથ ડાયાબિટીસ ,સ્ત્રીરોગ ,ચામડીના રોગો ,બાળરોગ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રદર્શની અને યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું.

ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વર્ધક અમૃત પેય ઉકાળા અને આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું. જે કેમ્પમાં જામનગર જિલ્લા પંચાયતના ત્રણ આયુર્વેદ મેડીકલ ઓફિસર અને હોસ્પિટલના આયુર્વેદ અને હમીયોપેથી મેડિકલ ઓફિસરઓએ હાજરી આપી હતી.

આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં કુલ 146 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં હોમિયોપેથીક નિદાન-સારવાર માટે 45 લાભાર્થી,ચાર્ટ પ્રદર્શન અને સ્વસ્થવૃત- યોગ વગેરેમાં 214 લાભાર્થીએ લાભ લીધો હતો. 236 લોકોને અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાયું હતું. જ્યારે 170 લોકોને સંશમની વટી અપાઈ હતી, જ્યારે આર્સેનિક આલ્બમ(30) માટે 212 લાભાર્થી જોડાયા હતા.

Tags :