Get The App

જામનગરવાસીઓ માટે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો થયો પ્રારંભ

Updated: Feb 21st, 2023

GS TEAM

Google News
Google News
જામનગરવાસીઓ માટે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો થયો પ્રારંભ 1 - image


- ધારાસભ્યઓ, મેયર સહિતના મહાનુભાવોએ જામનગર-સુરત લક્ઝરી કોચનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

જામનગર,તા.21 ફેબ્રુઆરી 2023,મંગળવાર

રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2*2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે. જામનગર એસ.ટી.ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલ કગથરા, શહેરના કોર્પોરેટરઓ, આગેવાનઓ તથા જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

જામનગરવાસીઓ માટે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો થયો પ્રારંભ 2 - image

આ કાર્યક્રમને સફળ બનાવવા એસ.ટી.વિભાગના પરિવહન અધિકારી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.જામનગરવાસીઓ માટે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો થયો પ્રારંભ 3 - image

Tags :