- દરેડ ગામમાં રહેતો એક શખ્સ લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ
જામનગર તા. 02
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી એક સગીરા નું આજથી ત્રણ દિવસ પહેલાં અપહરણ થઈ ગયું હતું. જેને દરેડ ગામમાં રહેતો એક શખ્સ લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાનું જાણવા મળતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી 16 વર્ષીય એક તરૂણીનું ગત 28મી તારીખે તેણીના ઘર પાસેથી અપહરણ થઈ ગયું હતું, અને પરિવારજનો અને જાણવા મળ્યા મુજબ દરેડ ગામમાં રહેતો રાજુભાઈ હરિભાઈ હરિયાણી નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદાથી ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી સગીરાના પિતા દ્વારા જામનગરના પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે દરેડના રાજુભાઈ હરીયાણી સામે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.


