જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી
જામનગર,તા.09 માર્ચ 2023,ગુરૂવાર
જામનગરના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ ધુળેટીના પર્વ નિમિત્તે સવારે 9.30 વાગ્યે જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા અને વડીલોની સાથે રહીને ધુળેટીનું પર્વ ઉજવ્યું હતું,
ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ પોતાના પરિવાર અથવા તો મિત્ર વર્તુળને બદલે આ વખતે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી.
આ અનોખી ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા, ઉપરાંત કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, કેતનભાઇ નાખવા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ સહિતના હોદ્દેદારો જોડાયા હતા, અને વડીલોની સાથે હોળી રમી તેઓના આશીર્વાદ મેળવી પ્રત્યેકના મીઠા મોઢા કરાવાયા હતા.
ઉપરાંત મુકબધિર બાળકો ની સાથે પણ હોળી રમી તેઓના જીવનમાં રંગ ભરવાના પ્રયાસ કરાયો હતો. જેથી વડીલો અને બાળકો પણ ખુશખુશાલ બન્યા હતા અને સર્વે મહાનુભાવોની સાથે ઓતપ્રોત થઈને ધુળેટીનું પર્વ મનાવ્યું હતું.