Get The App

CBSEની ધો.10ની પરીક્ષામાં હાલારનું હીર ઝળક્યું : આર્યન ઝા દેશભરમાં પ્રથમ

- જામનગરનાં તેજસ્વી વિદ્યાર્થીને 500માંથી 499 માર્કસ

- 18 લાખ 19 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષાનું 91.1 ટકા પરિણામ, ત્રિવેન્દ્રમ ઝોનનું સૌથી શ્રેષ્ઠ રીઝલ્ટ

Updated: May 7th, 2019

GS TEAM


Google News
Google News

- પરીક્ષા સમયે મોબાઈલ ફોન જેવા કોઈ પ્રકારના ઉપકરણોની પાબંદી ન્હોતી પરંતુ શ્રેષ્ઠ બનવાની પ્રેરણા થકી સફળતા મેળવનાર આર્યનને ઉતમ ડોકટર બનવાનો સંકલ્પ

CBSEની ધો.10ની પરીક્ષામાં હાલારનું હીર ઝળક્યું : આર્યન ઝા દેશભરમાં પ્રથમ 1 - image

જામનગર,તા.06 મે 2019, સોમવાર

જીવનમાં હંમેશા શ્રેષ્ઠ બનવાના સંકલ્પ સાથે આગળ વધો તો કુદરતી રીતે જ તમારો આત્મવિશ્વાસ તમને સર્વશ્રેષ્ઠ બનાવવાની દિશામાં કામ કરવા માટે પ્રેરે છે. આ પ્રકારની લાગણી આજરોજ ધો.૧૦ની સીબીએસઈની પરીક્ષામાં દેશભરમાં પ્રથમસ્થાન મેળવનાર જામનગરના વિદ્યાર્થી આર્યન અશોકભાઈ ઝાના પરિવારજનોએ વ્યક્ત કરી હતી. ૫૦૦માંથી ૪૯૯ માર્કસ સાથે ધો.૧૦માં જવલંત સફળતા મેળવનાર આર્યને મેડીકલ વિદ્યાશાખામાં આગળ વધીને ડોકટર બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી.

આજરોજ સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૯૧.૧૧ ટકા જાહેર થયું હતું. જેમાં દેશભરમાં સૌથી ઉંચુ પરિણામ ત્રિવેન્દ્રમ ઝોનનું ૯૯.૮૫ ટકા જાહેર કરવામાં આવ્યું છે. જયારે દેશભરમાં ૧૩ વિદ્યાર્થીઓને ૫૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવી પ્રથમ સ્થાને ઉતીર્ણ થયા છે. જેમાં ૮ વિદ્યાર્થીઓ ઉતરપ્રદેશના છે. 


જયારે ગુજરાતમાંથી જામનગરમાં નંદવિદ્યા નિકેતનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અશોકભાઈ ઝાએ ૫૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવી દેશભરમાં પ્રથમ  સ્થાન મેળવ્યું છે.

ધો.૧૦ની ૧૮ લાખ ૧૯ હજાર વિદ્યાર્થીઓની સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષા ફેબુ્ર-માર્ચ ૨૦૧૯ દરમિયાન લેવામાં આવી હતી. જેમાં જામનગરના વિદ્યાર્થીએ સૌથી વધુ ગુણ મેળવીને દેશભરમાં ડંકો વગાડયો હતો.

જામનગરના મહિલા કોલેજમાં વિસ્તારમાં રહેતા અને નંદવિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન ઝાએ પોતાના ઉજ્જવળ પરિણામનો યશ પોતાના પિતા અશોકભાઈને આપીને જણાવ્યું હતું કે, મારા પિતા તરફથી સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતુ રહ્યું હોવાને લીધે હું ધો.૧૦માં સારા માર્કસ મેળવી શકયો છું.

ધો.૧૦ની પરીક્ષા દરમિયાન મને અંગ્રેજી,સંસ્કૃત, ગણિત,સામાજિક વિજ્ઞાાન સહિત ચાર વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ જયારે વિજ્ઞાાનમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ મળ્યા છે. જયારે વૈકલ્પિક કોમ્પ્યુટર વિષયમાં પણ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે.

બાળપણથી જ હોશિયાર રહ્યો હોવાનું જણાવી તેના પિતા અશોકભાઈએ કહ્યું હતુ ંકે, આર્યને આઈકયુ લેવલની અનેક સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે. પરીક્ષાના સમયગાળા દરમિયાન પણ તે મોબાઈલ - ફેસબુક વિગેરે ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતો રહ્યો છે. પરંતુ શાળા કક્ષાએ જે સ્પર્ધાઓ યોજાતી તેમાં સ્પોર્ટસને બાદ કરતા મોટાભાગની સ્પર્ધાઓમા ંતેનો નંબર આવતો રહ્યો છે. જીવનમાં આગળ વધવા માટે પૈસા નહી, પરંતુ આત્મવિશ્વાસ જરૂરી છે.

તે માટે સતત પ્રયત્નો કરવા માટે આર્યનને પ્રોત્સાહન આપતો રહ્યો હોવાથી આજે તે ધો.૧૦ની પરીક્ષામાં અવ્વલ નંબરે ઉતીર્ણ થયો છે. શ્રેષ્ઠ બનવાની તેની સંકલ્પ શક્તિએ જ તેને જીત અપાવી છે તેમ જણાવી અશોકભાઈ ઝાએ આર્યન ડોકટરને બદલે એક વૈજ્ઞાાનિક બનશે તો વધુ સારી રીતે સફળ થશે તેવો અભિપ્રાય વ્યક્તકર્યો હતો.

Tags :