Get The App

જામનગરની વેપારી પેઢી સાથે રૂ.54 લાખ 65 હજારની છેતરપિંડી અંગે વેરાવળ પંથકની પેઢીના સંચાલક બંધુઓ સામે ફરિયાદ

Updated: Nov 22nd, 2022

GS TEAM

Google News
Google News
જામનગરની વેપારી પેઢી સાથે રૂ.54 લાખ 65 હજારની છેતરપિંડી અંગે વેરાવળ પંથકની પેઢીના સંચાલક બંધુઓ સામે ફરિયાદ 1 - image


- જામનગરથી પેટ્રોલિયમ પ્રોડક્ટસના ચાર ટેન્કરો મંગાવ્યા પછી પૈસા ચૂકવવામાં અખાડા

જામનગર,તા.22 નવેમ્બર 2022,મંગળવાર

 જામનગરની પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યવસાય કરતી પેઢી પાસે થી આઠેક મહિના પહેલા વેરાવળ પંથકની પેઢીના બે સંચાલક ભાઈઓ દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટસના ચાર ટેન્કરો મંગાવાયા હતાં. પરંતુ તેના રૂપિયા ૫૪ લાખ ૬૫ હજારની રકમ ચૂકવી ન હતી. અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

આ અંગે જામનગરની પેઢીના સંચાલક દ્વારા બંને ભાઈઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી તથા કાવત્રાની કલમ મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આથી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જામનગરમાં કિસાન ચોક, ઉનની કંદોરી પાસે રહેતા અને રઝવી એન્ટરપ્રાઇઝના નામથી પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યવસાય કરતા ઇમરાનભાઈ અબ્દુલભાઈ રઝવી પાસેથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ટેનીવાડા ગામમાં રહેતા અને ઓમ ટ્રેડર્સના નામથી વ્યવસાય કરતા પ્રફુલભાઈ સામતભાઈ રામ અને તેમના ભાઈ લખમણભાઇ સામતભાઈ રામ દ્વારા ગત તારીખ ૬ માર્ચ થી ૨૬ માર્ચ દરમ્યાન અલગ અલગ સમયે પેટ્રોલિયમ પ્રોડક્ટના કુલ ચાર ટેન્કર મંગાવા આવ્યા હતા. જેની કુલ રૂ. ૫૪,૬૫, ૩૮૦ ની રકમ ચૂકવી ન હતી. આખરે આઠ મહિના પછી ઇમરાનભાઈ રઝવીએ પોતાની સાથે કાવતરું રચીને  તેમજ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે વેરાવળ પંથકના પ્રફુલભાઈ રામ અને લખમણભાઇ રામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags :