Gujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો પગપેસારો ન થતા લોકોમાં રાહત
By GS Team
19 Apr 20201 min read
This article was originally published on 19 Apr 2020

જામ ખંભાળિયા, તા. 19 એપ્રિલ 2020 રવિવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસ બીમારી અંગે શરૂઆતથી જ સરકારી તંત્ર જાગૃત રહ્યું છે અને કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે રવિવાર સુધીમાં કુલ 168 વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાની બીમારી સંદર્ભેના સૅમ્પલો લેવામાં આવ્યા હતા.
જે પૈકી 167 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 669 વ્યક્તિઓને કવોરોંટાઈન કરવામાં આવ્યા હતા. જે તમામનો સમયગાળો પૂર્ણ થયો છે.




