જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કિડનીની બિમારી માટે પંચકર્મ સારવારના નિ:શુલ્ક કેમ્પનું આયોજન
જામનગર,તા 6 ઓગષ્ટ 2021,શુક્રવાર
અનેક કારણોથી થતા કિડની ફેલ્યોરના દર્દીઓ માટે તા.10/08/2021 અને તા. 13/8/2021(મંગળવાર અને શુક્રવાર) સવારે 9થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન આયુર્વેદ હોસ્પિટલ, જામનગર દ્વારા નિઃશુલ્ક નિદાન અને પંચકર્મ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નવી આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડીંગ(આઈ.ટી.આર.એ.), રિલાયન્સ મોલ સામે, ઓ.પી.ડી નં.14માં ડો. રેમ્યા કુટ્ટનનો સંપર્ક કરી આ કેમ્પનો અચૂક લાભ લેવા આર.એમ.ઓ શ્રી (આઈ.ટી.આર.એ.) ની યાદીમાં જણાવવામાં આવે છે.