Get The App

જામનગરમાં મોહનનગર વિસ્તારમાં એક રિક્ષાચાલકને એકાએક ચાલુ રિક્ષાએ ચક્કર આવતાં પટકાઈ પડવાથી અપમૃત્યુ

Updated: Jan 13th, 2022

GS TEAM


Google News
Google News
જામનગરમાં મોહનનગર વિસ્તારમાં એક રિક્ષાચાલકને એકાએક ચાલુ રિક્ષાએ ચક્કર આવતાં પટકાઈ પડવાથી અપમૃત્યુ 1 - image


જામનગર, તા. 13

જામનગર ના મોહનનગર વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ ચક્કર આવી જતાં પટકાઈ પડવાથી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલ માં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતો અને રિક્ષા ચલાવતો ઇબ્રાહીમભાઇ અસગર હુસેન બુખારી નામનો ૩૭ વર્ષનો રિક્ષાચાલક યુવાન ગત 9મી તારીખે ગુલાબનગર નજીક મોહન નગર વિસ્તારમાંથી રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં એકાએક ચાલુ રિક્ષાએ ચક્કર આવી જતાં પટકાઈ પડવાથી તેને માથામાં ઈજા થઈ હતી.

જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ફૈઝલ અસગર હુસેન બુખારી એ પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :