જામનગર શહેરમાં પરશુરામ જયંતીની ખૂબ જ સાદગીથી ઉજવણી
- અનેક પરશુરામ ભક્તોએ પોતાના ઘરમાં જ પૂજા વિધિ સંપન્ન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું
જામનગર, તા. 25 એપ્રીલ 2020, શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે ભગવાન પરશુરામ જયંતીની ખૂબ જ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતા શોભાયાત્રા સહિતના જાહેર કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે. અને પરશુરામ ભક્તો દ્વારા પોતાના ઘરમાં જ રહીને સાદગીથી પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં કેટલાક અગ્રણીઓ દ્વારા પોતાના ઘરમાં જ ભગવાન પરશુરામ ભગવાન ની પ્રતિમા અથવા તસ્વીર સમક્ષ ફૂલહાર કરીને સાદાઈથી ઉજવણી કરી લીધી છે. અનેસંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે ને લોક ડાઉનલોડ દરમિયાન લોકોએ પોતાના ઘરમાં જ રહીને પૂજા વિધિ સંપન્ન કરી છે.