Get The App

જામનગર જીલ્લાના 44,180 રાશન કાર્ડધારકોને 1 એપ્રિલ થી મફત અનાજ આપવામાં આવશે

- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીની અપીલ: "લોકો સસ્તા અનાજની દુકાન પર પણ અંતર રાખી ઊભા રહે

Updated: Mar 26th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જીલ્લાના 44,180 રાશન કાર્ડધારકોને 1 એપ્રિલ થી મફત અનાજ આપવામાં આવશે 1 - image

જામનગર તા. 26 માર્ચ 2020, ગુરુવાર

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોના 3 કરોડ 25 લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.

1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે. હાલમાં હાલારમાં જામનગર જિલ્લામાં કુલ રેશનકાર્ડ ધારકો 44,180 અને 2 લાખ 13 હજાર 754 લાભાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેશનકાર્ડ ધારકો 21,670 અને 94 હજાર 21 લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે.

આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અન્ન અને નાગરિક પુરવઠા અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે મળી રહે અને લોકોને કોઇ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી સતત નિરીક્ષણ કરી અને સંપૂર્ણ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડી લોકોની સેવા કરવા તત્પર છે.

લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહે. સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જો કોઈ દુકાનદાર સંગ્રહખોરી કરતાં જણાશે તો તેમના પર કડક પગલાં લેવામાં પણ આવશે. જીવનજરૂરી તમામ આવશ્યક વસ્તુઓ સરકારશ્રી દ્વારા આ સંપૂર્ણ લોકડાઉનના સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Tags :