Get The App

'ભારત પર પ્રતિબંધ લગાવવો એ ટ્રમ્પની મોટી ભૂલ', પૂર્વ અમેરિકન રાજદૂત ગારસેટ્ટીનું મોટું નિવેદન

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત પર પ્રતિબંધ લગાવવો એ ટ્રમ્પની મોટી ભૂલ', પૂર્વ અમેરિકન રાજદૂત ગારસેટ્ટીનું મોટું નિવેદન 1 - image
Image Source: IANS

India US Relations: ભારતમાં અમેરિકાના રાજદૂત રહેલા એરિક ગારસેટ્ટીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારત પર પ્રતિબંધ લગાવવો એક પ્રકારની ભૂલ છે. ભારતે એ જ કર્યું જે યુરોપ અને અમેરિકા ઈચ્છતા હતા. ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદ્યું, પરંતુ આ સંપૂર્ણ પ્રક્રિયા એક ચોક્કસ કિંમત શ્રેણીમાં થયું. આમ છતાં, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયાના યુદ્ધ મશીનરીને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. 

ત્યારે ગારસેટ્ટીએ કહ્યું, 'ભારત કોઈ વિસ્તારવાદી શક્તિ નથી. તે અન્ય કોઈ દેશ પર વિજય મેળવવાનો પ્રયાસ કરતું નથી. ભારત ફક્ત તે પ્રાપ્ત કરવા માગે છે જે તે લાયક છે. તેમના મતે, ભારતની મલ્ટીઅલાઈનમેન્ટ પોલિસી નોનઅલાઈનમેન્ટ છે, અને આ અંગે દેશવાસીઓમાં ગર્વની ભાવના છે. તેમણે સમજાવ્યું કે ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવાથી ફક્ત અમેરિકાને નુકસાન થશે.'

એરિક ગારસેટ્ટી થોડા દિવસો પહેલા સુધી ભારતના રાજદૂત હતા. તે સમયે ભારત અમેરિકા વચ્ચે સંબંધો ખુબ સારા રહ્યા. હવે સંબંધો બગડવા પર એરિક ગારસેટ્ટીએ કહ્યું કે, 'ભારત એવા દ્વાર ખોલી શકે છે જે અમેરિકા માટે પણ સરળ નથી. ભારતીયોએ પોતાની નોન અલાઇનમેન્ટ વિદેશ નીતિ પર ઘણી મહેનત કરી છે. આ ન માત્ર આર્થિક અને રણનીતિક હિતોની રક્ષા કરે છે, પરંતુ ભારતની વૈશ્વિક છાપને પણ મજબૂત કરે છે.' ભારત અને અમેરિકાના સંબંધોમાં કેટલીકવાર મતભેદ આવતા રહ્યા છે, પરંતુ ગારસેટ્ટીનું આ નિવેદન ભારતના દૃષ્ટિકોણને યોગ્ય ગણાવતું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતની નીતિ હંમેશા શાંતિપૂર્ણ અને સંતુલિત રહી છે. આ દેશ કોઈના પર પ્રેશર નથી કરતો અને ન કોઈના ફાયદાને રોકવાનો પ્રયાસ કરે છે.

'ભારતે તમામ નિયમોનું પાલન કર્યું'

પૂર્વ રાજદૂતે એ પણ કહ્યું કે, 'ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા સમયે ઈન્ટરનેશનલ નિયમો અને પ્રતિબંધોનું પાલન કર્યું. માત્ર ટ્રમ્પના નિવેદને ભારતની છાપને ખોટી રીતે રજૂ કરી. એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભારતની પ્રાથમિકતા પોતાના રાષ્ટ્રીય હિત અને ઉર્જા સુરક્ષા છે, ન કે કોઈ યુદ્ધમાં કોઈને મદદ પહોંચાડવી.'

વિશેષજ્ઞોનું કહેવું છે કે, 'ગારસેટ્ટીનું આ નિવેદન ભારત અને અમેરિકા વચ્ચે વિસ્તૃત રણનીતિક સંબંધોને લઈને મહત્ત્વપૂર્ણ છે. તેમણે એ પણ માન્યું કે, ભારતનો મલ્ટી અલાઇનમેન્ટ દ્રષ્ટિકોણ તેને વૈશ્વિક રાજનીતિમાં અલગ ઓળખ અને પ્રભાવ આપે છે. તેનાથી ભારતને ન માત્ર આર્થિક, પરંતુ સૈન્ય અને રણનીતિક મોરચા પર પણ મજબૂત બનાવે છે.'

'ભારત કોઈના દબાણમાં નથી આવતો'

ભારતની આ નીતિ માત્ર પોતાની સુરક્ષા અને વિકાસ સુધી મર્યાદિત નથી. ગારસેટ્ટીના અનુસાર, આ દેશ વૈશ્વિક સ્થિરતા અને શાંતિમાં પણ યોગદાન આપે છે. ભારત કોઈ ક્ષેત્રિય કે વૈશ્વિક વિસ્તારની નીતિનું પાલન નથી કરતો. તેનો ઉદ્દેશ્ય હંમેશા સંતુલિત અને ન્યાયપૂર્ણ નિર્ણય લેવાનો રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે સહયોગની સંભાવનાઓ ખુબ છે, પરંતુ ભારત પોતાના હિતોના હિસાબથી પગલાં ભરે છે. આ દેશ કોઈના દબાણમાં નથી આવતો અને ન કોઈને સીધી રીતે સંઘર્ષમાં લાવે છે.'

ગારસેટ્ટીના અનુસાર, આ ભારતની સ્થિર અને પરિપક્વ કૂટનીતિની સફળતા છે કે તેઓ પોતાના પગલાં વગર કોઈ મોટા વિવાદને આગળ વધારી શકે છે. પૂર્વ રાજદૂતે સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પના પ્રતિબંધ માત્ર અસમંજસ અને ગેરસમજના કારણે લાગ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયના નિયમો અનુસાર પગલાં ભર્યા, પરંતુ ટ્રમ્પે તેને ખોટી રીતે રજૂ કર્યું. ગારસેટ્ટીએ ભાર આપ્યો કે, ભારત હંમેશા શાંતિપૂર્ણ અને સન્માનજનક રીતે આંતરરાષ્ટ્રીય સંબંધો નિભાવે છે.