Get The App

આ દેશની સેના ભાન ભૂલી, પોતાની જ સ્કૂલના બાળકો પર હુમલો કર્યો, 22ના મરણ

ગામની શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા,

આ ઘટના સાગાઇંગ પ્રદેશના તાબાયન ટાઉનશીપના એક ગામમાં બની

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
આ દેશની સેના ભાન ભૂલી, પોતાની જ સ્કૂલના બાળકો પર હુમલો કર્યો, 22ના મરણ 1 - image


નવી દિલ્હી,13 મે,2025,મંગળવાર 

મ્યાંમારની સેનાએ લોકતંત્ર સમર્થક બળો દ્વારા સંચાલિત એક સ્કૂલ પર હુમલો કરતા અરેરાટી મચી ગઇ છે. સામાન્ય રીતે વર્ગ વિગ્રહ અને સૈન્યની કાર્યવાહીની સ્થિતિમાં પણ કોઇ દેશ પોતાની સ્કૂલ કે બાળકો પર હુમલો કરતો નથી પરંતુ મ્યાંમાર આર્મીએ તમામ હદ પાર કરીને લોકતંત્રના સમર્થક વિદ્રોહીઓની સ્કૂલ પર હુમલો કર્યો ત્યારે બાળકો અભ્યાસ કરી રહયા હતા. મ્યાંમારના લોકતંત્રના સમર્થકોના જણાવ્યા અનુસાર સેનાના હુમલાથી મુત્યુ આંક હજુ વધી શકે છે કેટલાક લાપતા પણ થયા છે. 

ભુકંપગ્રસ્ત વિસ્તારો નથી તેવા સ્થળોએ સેનાના હવાઇ હુમલાઓ અને ગોળીબાર ચાલુ છે. મ્યાનમારમાં સત્તાધારી લશ્કરી જેટ ફાઇટર દ્વારા સ્થાનિક શાળા પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયેલા લગભગ બે ડઝન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કે આ ઘટના સાગાઇંગ પ્રદેશના તાબાયન ટાઉનશીપ, જેને ડેપાયીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ઓહે હ્ટેઇન ટ્વીન ગામમાં બની હતી. હુમલામાં 20 બાળકો ઉપરાંત બે શિક્ષકોના પણ મોત થયા છે.

આ દેશની સેના ભાન ભૂલી, પોતાની જ સ્કૂલના બાળકો પર હુમલો કર્યો, 22ના મરણ 2 - image

ગામની શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં લગભગ 500 ઘરો છે. સાગાઈંગ મ્યાનમારમાં સૈન્ય શાસન સામે સશસ્ત્ર પ્રતિકારનો ગઢ રહ્યો છે, અને તાજેતરના વર્ષોમાં સૈન્યએ સશસ્ત્ર પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ સહિત પ્રતિકાર દળો સામેની લડાઈમાં હવાઈ હુમલાઓ વધારી દીધા છે. મ્યાંમાર સેના શાસન સામે વ્યાપક સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરવા માટે હવાઈ હુમલાઓનો ઉપયોગ વધુને વધુ કર્યો છે.

બિન-સરકારી સંગઠનો દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, 2021 માં સૈન્યના કબજા પછી સુરક્ષા દળો દ્વારા 6,600 થી વધુ નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. જો કે સ્કૂલ પર કાળો કેર વરતાવ્યા પછી પણ સરકારી મીડિયા કેન્દ્રોએ સેનાને ટાંકીને જણાવ્યું હતું કે આવો કોઇ જ બોંબમારો થયો નથી. સરકાર વિરોધીઓ દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. સેના ભુકંપ પ્રભાવિત વિસ્તારોમાં સંઘર્ષવિરામની સમય મર્યાદા લંબાવીને ૩૧ મે સુધી કરશે.

Tags :