Get The App

તાઇવાનની સ્વૈચ્છિક સંસ્થાઓએ 2030 વોર ગેઇમ એકસરસાઇઝ શરૂ કરી : શી જિનપિંગ છંછેડાયા

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
તાઇવાનની સ્વૈચ્છિક સંસ્થાઓએ 2030 વોર ગેઇમ એકસરસાઇઝ શરૂ કરી : શી જિનપિંગ છંછેડાયા 1 - image


- 'વાન-હાઈ-203' ખલાસીઓને બચાવવા ભારતનો આભાર માન્યો

- આ 'વોર-ગેઈમ'માં એક તરફ ચાયનાને આક્રમણ કરવા જણાવાયું તેની સામે તાઇવાન, જાપાન અને અમેરિકાનાં નૌકાદળ ગોઠવાયા

તાઈપી : એક તરફ ચાઇનીઝ નેવલશિપ્પ તાઇવાનની પ્રાદેશિક જળસીમાનો ઉલ્લંઘન કરી રહ્યાં છે ત્યારે તાઇવાનની ૩ સ્વૈચ્છિક સંસ્થાઓએ ૨૦૩૦-વોર-ગેઈમ-એક્સર્સાઇઝ શરૂ કરી છે. આ યુદ્ધ રમતમાં એક તરફ ચાઈનીઝ નેવી રખાયું છે તેની સામે તાઇવાનીઝ, જાપાનીઝ અને અમેરિકન યુદ્ધ-નૌકાઓ છે.

આ અંગે 'ફોક્સ-તાઇવાન'ને જણાવ્યું હતું કે, આ યુદ્ધાભ્યાસ ચીન જેને ગ્રે-ઝોન (અસ્પષ્ટ વિસ્તાર) કહે છે, તેમાં આક્રમણ કરે છે.

આ યુદ્ધ રમત (યુદ્ધાભ્યાસ) એટલો તીવ્ર બની રહ્યો કે દૂરથી જોનારાને તો તે સાચુકલો જ લાગે.

ઉલ્લેખનીય તો તે છે કે આ યુદ્ધાભ્યાસ તાઈવાનની સરકારે પ્રેર્યો નથી તે તેઇપી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ફાઉન્ડેશન (જે શૈક્ષણિક સંસ્થા છે) તેમની તેઇપી સ્થિત 'થિંક-ટેન્ક' એન્ટર ફોર પીસ એન્ડ સિક્યોરિટી તથા કાઉન્સીલ ઓન સ્ટ્રેટેજિક એન્ડ વોર-ગેઈમીંગ સ્ટડીઝ (સી.એસ.ડબલ્યુ.એસ) દ્વારા યોજાઈ રહી છે. આ ત્રીજી સંસ્થા વાસ્તવમાં એક 'રીસર્ચ ઈન્સ્ટીટયુટ' છે.

આ વોર ગેઈમ્સ જોવા માટે તાઈવાનના પૂર્વ ચીફ ઓફ જનરલ સ્ટાફ લી. સી.મિન, અમેરિકાનાં નૌકાદળના નિવૃત્ત એડમિરલ માઇકલ મુલન, અમેરિકાની નેશનલ-ઈન્ટેલિજન્સના પૂર્વ વડા, ડેનિસ બ્લેર, જાપાનના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ (મેરિટાઇમ સેલ્ફ ડીફેન્સ ફોર્સ)ના પૂર્વ વડા ટોમોશિસા ટેકી ઉપસ્થિત હતા.

યુદ્ધાભ્યાસમાં રહેલી યુદ્ધ-નૌકાઓ ૪ ટીમમાં વહેંચવામાં આવી હતી. ચાયના તે સામે તાઇવાન, જાપાન અને યુએસ તેમ કહેતાં સીએસડબલ્યુએસના ચેરમેન એલેકઝાન્ડર હુઆંગે જણાવ્યું હતું કે આ વોર-ગેઈમ્સ અમેરિકા પાસેથી ખરીદેલા શસ્ત્રોનો સાચો અભ્યાસ થઈ શકે છે. તેમાં ભાગ લેનારાઓ ખુલ્લાં મને એકબીજાની વાત પણ કરે છે અને ક્યાં ક્ષતિ કે ઉણપ રહી છે, તે પણ જણાવી શકે છે.

દરમિયાન એક ઘટના એવી બની હતી કે, તાઇવાનીઝ મર્ચન્ટશિપ વાન-હાઈ-૨૦૩માં આગ ફાટી નીકળતાં તેના ૨૨ ખલાસીઓ (અધિકારી સહિત) દરિયામાં કૂદી પડયા હતા. સિંગાપુરથી થોડે દૂર બનેલી આ દુર્ઘટના પ્રત્યે ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીનું ધ્યાન જતાં ૨૨માંથી ૧૮ને બચાવી લેવાયા જે માટે તાઇવાને ભારતનો આભાર માન્યો હતો.

Tags :