કેરલના કાંઠે ૧૫ દિવસમાં બીજી ઘટના,જહાજમાં ધમાકા સાથે આગ, ૧૮ ક્રુ મેમ્બર દરિયામાં કુદયા
ભારતીય નૌ સેનાએ તાબડતોબ રાહત અને બચાવ કામગીરી શરુ કરી
૨૨ માંથી ૨ તાઇવાની એક ઇન્ડોનેશિયન અને ૧ મ્યાંમારી નાગરિક
ચેન્નાઇ,૯ જુન,૨૦૨૫,સોમવાર
કેરલના સમુદ્ર કાંઠા નજીક સિંગાપુરના એક જહાજમાં ધમાકા સાથે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. આ અકસ્માતની જાણ થતા જ જહાજના ક્રુ મેમ્બરને બચાવવા માટે ભારતીય નૌૈ સેનાએ રાહત અને બચાવ કામગીરી શરુ કરી છે. હાલ સમગ્ર ઘટના પર ભારતીય નેવી ફોર્સ ચાંપતી નજર રાખી રહયું છે. ભારતીય નેવીનું આઇએનએસ સૂરતને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. એમવીવાન હાઇ ૫૦૩માં સવારે ૧૦.૩૦ વાગે અંડર ટેક વિસ્ફોટ થવાની માહિતી મળી હતી. દુર્ઘટના સમયે જહાજમાં ચાલક દળના ૨૨ સભ્યો ફરજ બજાવતા હતા.
જહાજ પરના ૧૮ જેટલા સદસ્યો જીવ બચાવવા સમુદ્રમાં કુદી પડયા હતા. અત્યાર સુધી ૧૮ લોકોના જીવ બચાવી શકાયા છે જયારે ૪ લાપતા છે જેમાં ૨ તાઇવાની એક ઇન્ડોનેશિયન અને ૧ મ્યાંમારી નાગરિકનો સમાવેશ થાય છે. આ ઘટના કેરલના કાંઠાથી ૮૮ દરિયાઇ માઇલ કન્ટેનરમાં વિસ્ફોટ થવાથી બની હતી. વિસ્ફોટ થવાની સાથે જ જહાજમાં ભયંકર આગ લાગી હતી. બપોરે ૧૨.૪૦ વાગ્યા સુધીમાં બાકીના કન્ટેનરો પણ આગની લપેટમાં આવ્યા હતા. જહાજના ક્રુ મેમ્બર પરિસ્થિતિની ગંભીરતાને પાંમીને લાઇફ રાફટ એટલે કે જીવન રક્ષક નૌકાઓમાં બેસીને તરવા લાગ્યા હતા.
મુંબઇ ખાતે આવેલા સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર પાસેથી પસાર થઇ રહેલા એમવી વન માર્વલને મદદ માટે મોકલ્યું હતું. ભારતીય તટરક્ષક દળના એક ડોર્નિયર વિમાનને પણ મોકલવામાં આવ્યું હતું. આ જહાજ ૯ જુન સવારે ભારતના કાંઠા નજીક આવવાનું હતું. અગાઉ ૨૫ મે ના રોજ કેરલના કાંઠે લાઇબેરિયાઇ કાર્ગો જહાજ પણ ડૂબી ગયું હતું. જહાજ ડુબી ગયા પછી તેના કન્ટેનર વહીને કેરલ કાંઠે આવ્યા હતા. કુલ ૬૪૦ કન્ટેનર હતી માં જુદા જુદા પ્રકારના કેમિકલ્સ અને ક્રુડ તેલ લદાયેલું હતું. જો કે આમાં કેલ્શિયમ કાર્બાઇડ ભરેલું એક પણ કન્ટેનર હતું. તાજેતરમાં ડૂબેલા જહાજમાં કયાં પ્રકારનું જોખમી રસાયણ હતું જેના લીધે આગ લાગી હતી તે જાણવા મળ્યું નથી.